અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
આપણે એક દિવસ મરવું છે એમાં ફેર નથી પણ સમજણ વિના જીવમાં ખોટ રહી જાશે. માટે આ સત્સંગ જીવમાં પેસવો એ બહુ દુર્લભ છે.૧ સત્સંગ તે શું તો, વીશલ્યકરણીના વચનામૃતમાં૨ બતાવ્યું છે જે, આત્મા ને પરમાત્મા. આત્મા જે આ સાધુ ને પરમાત્મા જે મહારાજ, તેના સ્વરૂપનો જીવમાં યથાર્થ નિશ્ચય થાવો તે તો ઘણો દુર્લભ છે તે ઉપરાંત બીજો લાભ પણ નથી. (૨૯)
૧. बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः॥ (ગીતા: ૭/૧૮)
પ્રકરણ/વાત: ૧૧/૩૫૪