અમૃત કળશ: ૨
સંત-સમાગમ
...આપણે ઠરાવ કરવો જે, સત્સંગ કરવામાં કોણ અંતરાય કરે છે? પચ્છમના દેવજીને પરણાવ્યો, તે બાયડી કહે સત્સંગ મૂકે તો ગાડેથી ઊતરું. ત્યારે તેના બાપે દેવજીને કહ્યું, “તારે સત્સંગ રાખવો છે કે બાયડીને રાખવી છે? જો સત્સંગ રાખવો હોય તો બાયડીયું તો બીજી બે પરણાવીશ, માટે આને આપી દે રજા.” પછી દેવજીએ લૂગડાં અને ઘરેણાં ઉતારી લઈ એક લૂગડાભર કાઢી મૂકી... (૪૭)
પ્રકરણ/વાત: ૧૩/૨૨