અમૃત કળશ: ૪
નિશ્ચય
પંચાળાનું ચોથું વચનામૃત વંચાવીને કહ્યું જે, આવી રીતે નિશ્ચયની દૃઢતા કરી હોય અને ભગવાનનું દિવ્યપણું ને મનુષ્યપણું એક જાણી રાખ્યું હોય અને સર્વે ધામ થકી અક્ષરધામનું સુખ શ્રેષ્ઠ છે એમ નક્કી કરી રાખ્યું હોય તેને વર્તમાન પાળવા શું કઠણ પડે? અને તેણે કેમ ચોરી થાય? ન જ થાય. ખરેખરો નિશ્ચય થયો હોય તો પોતે વર્તમાન લોપવા જાય તો પણ લોપાય નહિ. (૯)
પ્રકરણ/વાત: ૧૦/૮૧