ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૭

માન

... એક રાજાને વંશ નહિ તે મરવા ટાણે પોતાના પાસેના રહેનારાને કહ્યું જે, “તમે પાંચ મળી સવારમાં ચાલજો ને જે પહેલા પ્રથમ સામો મળે તેને ગાદીએ બેસાડજો.” પછી તે દિવસે કોઈ ગરીબ માણસ ખડનો ભારો વેચવા વહેલો ઊઠીને આવેલ ને દરવાજો ઊઘડે તેની વાટ જોતો હતો. તે દરવાજો ઊઘડ્યો કે તુરત ગામમાં પેઠો ને ઓલ્યા પાંચને સામો મળ્યો. પછી તે ગરીબને ગાદીએ બેસાડ્યો. પણ તેણે પોતાની પાસેનાં દાતરડું ને બંધિયા એક આળિયામાં રાખ્યાં. પછી તે જ્યારે કચેરીમાં જાય ત્યારે ગોખલામાં દાતરડું ને બંધિયા રાખેલ તેને પગે લાગીને જાય ને એમ સમજે જે, ‘આ રાજ્ય તો ભગવાનની ઇચ્છાએ મળ્યું છે પણ મારું પ્રારબ્ધ તો આ દાતરડું ને બંધિયા છે,’ એટલે રાજાનો મદ આણ્યા વિના દીનતાથી રાજ્ય કરાય. તેમ જે ગુરુથી ગુણ આવ્યા હોય તેના સામા ન થાવું પણ દીનતા રાખવી. ને દાસાનુદાસ છું એમ નિરંતર રહેશે તો ઠીક રહેશે ને એવું સદા રહે ત્યારે એ સાધુ થઈ રહ્યો છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૦/૧૦૧

Vat Selection


Type: Keywords Exact phrase