અમૃત કળશ: ૭
માન
નિર્માની રહેવું બહુ કઠણ છે. તે નિર્માનીપણામાં ધર્મામૃતમાં ત્રણ રાજા કહ્યા છે ને હમણાં ગણોદવાળા અભેસિંહ તથા ગોંડળના ભાણેભાઈ તથા મેંગણીના માનભા એ નિર્માની ખરા. અને આ સંપ્રદાય તો બહુ શુદ્ધ તે જરાક હોય તે દેખાઈ આવે. ને ઘાંચીના લૂગડામાં ડાઘ કળાય છે? પણ આપણામાં જરાક માન આવી જાય કે જરાક દોષ આવી જાય તો જણાઈ જાય. માટે આ સાધુ ને આવી વાતુ છે તે જ દોષમાત્ર ટાળવાનો ઉપાય છે. (૨૬)
પ્રકરણ/વાત: ૧૦/૨૦૦