પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે

ચોપાઈ વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે,
મુક્ત પણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે । ૩૨
સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે,
કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે । ૩૩
મોહ થકી થાય સ્મૃતિનાશ રે, સ્મૃતિનાશે બુદ્ધિ વિનાશ રે,
પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે । ૩૪
પીવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણે સદ્ય રે,
તેમ દામ વામ ફેલે કરી રે, સત્ત્વગુણી જ્ઞાની ભૂલે હરિ રે । ૪૬

પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત

તે તો મોટાપુરુષને મળે રે, ત્યારે સહુ સહુના ધર્મ પળે રે,
તે વાસુદેવમાહાત્મ્ય માંઈ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઈ રે । ૧૩

પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા

ચોપાઈ મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી,
સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી । ૫૪
તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય,
પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી । ૫૫
કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન,
તેમાંથી એને જણાતું હશે, તે તો વારશો પણ તેમ કહેશે । ૫૬

પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે

સામેરી સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુ બહુ સહ્યું,
જેમ જેમ આપણે ક્ષમા કરી, તેમ તેમ દુષ્ટે દુઃખ દયું । ૩૧
આજ પછી એક મારું, વચન રુદિયે ધારવું,
દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું । ૩૨
ત્યારે તે સંત બોલીયા, મહારાજ નહિ કહો એમ,
ભૂંડા ભૂંડાઈ નહિ તજે તો, ભલા ભલાઈ તજે કેમ । ૩૩
ત્યારે પ્રભુજી બોલીયા, ધન્ય ધન્ય સંત નમે,
જડ ભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે । ૩૪
ક્ષમા સમ ખડગ નહિ, જરણા સમ નહિ જાપ રે,
ધીરજ સમ ઢાલ નહિ, મૌન સમ નહિ શાપ રે । ૩૭

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading