॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

251

विष्णुश्च शङ्करश्चैव पार्वती च गजाननः।

दिनकरश्च पञ्चैता मान्याः पूज्या हि देवताः॥ २५१॥

GUJ

વિષ્ણુ, શંકર, પાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ પાંચ દેવતા પૂજ્યપણે માનવા. (૨૫૧)

ENG

Vishnu, Shankar, Parvati, Ganpati and Surya – these five deities should be revered. (251)

252

परिरक्षेद् दृढां निष्ठाम् अक्षरपुरुषोत्तमे।

तथाऽपि नैव कर्तव्यं देवताऽन्तरनिन्दनम्॥ २५२॥

GUJ

અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. (૨૫૨)

ENG

One should have firm conviction in Akshar-Purushottam Maharaj. However, one should not disrespect any other deity. (252)

253

धर्मा वा संप्रदाया वा येऽन्ये तदनुयायिनः।

न ते द्वेष्या न ते निन्द्या आदर्तव्याश्च सर्वदा॥ २५३॥

GUJ

અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિષે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો. (૨૫૩)

ENG

One should not have contempt for other religions, sampradāys or their followers. One should never criticize them and should always treat them with respect. (253)

254

मन्दिराणि च शास्त्राणि सन्तस्तथा कदाचन।

न निन्द्यास्ते हि सत्कार्या यथाशक्ति यथोचितम्॥ २५४॥

GUJ

મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. (૨૫૪)

ENG

One should never disrespect mandirs, shastras or sadhus. One should honour them appropriately according to one’s capacity. (254)

255

संयमनोपवासादि यद्यत्तपः समाचरेत्।

प्रसादाय हरेस्तत्तु भक्त्यर्थमेव केवलम्॥ २५५॥

GUJ

સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. (૨૫૫)

ENG

Whichever acts of self-control, fasts and other austerities are undertaken, they should be performed only as bhakti and with the intent to solely please Bhagwan. (255)

256

एकादश्या व्रतं नित्यं कर्तव्यं परमादरात्।

तद्दिने नैव भोक्तव्यं निषिद्धं वस्तु कर्हिचित्॥ २५६॥

GUJ

એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. (૨૫૬)

ENG

One should always observe the ekādashi fast with utmost reverence. On this day, prohibited items should never be consumed. (256)

257

उपवासे दिवानिद्रां प्रयत्नतः परित्यजेत्।

दिवसनिद्रया नश्येद् उपवासात्मकं तपः॥ २५७॥

GUJ

ઉપવાસને વિષે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસરૂપી તપ નાશ પામે છે. (૨૫૭)

ENG

While fasting, one should endeavor to give up sleep during daytime. Sleeping during daytime destroys the merits earned by the austerity of fasting. (257)

258

स्वामिनारायणेनेह स्वयं यद्धि प्रसादितम्।

गुरुभिश्चाऽक्षरब्रह्म-स्वरूपैर्यत् प्रसादितम्॥ २५८॥

GUJ

ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)

ENG

If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)

259

तेषां स्थानविशेषाणां यात्रां कर्तुं य इच्छति।

तद्यात्रां स जनः कुर्याद् यथाशक्ति यथारुचि॥ २५९॥

GUJ

ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)

ENG

If one desires to go on a pilgrimage to the places sanctified by Bhagwan Swaminarayan or the Aksharbrahman gurus, one should do so according to one’s means and preferences. (258–259)

260

अयोध्यां मथुरां काशीं केदारं बदरीं व्रजेत्।

रामेश्वरादि तीर्थं च यथाशक्ति यथारुचि॥ २६०॥

GUJ

અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદરીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. (૨૬૦)

ENG

One may go on a pilgrimage to Ayodhya, Mathura, Kashi, Kedarnath, Badrinath, Rameshwar and other sacred places according to one’s means and preferences. (260)