ધીરજાખ્યાન
કડવું – ૪૯
એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી
સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી
મત1 રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે ॥
કોહ્યું2 કસાયું3 સડ્યું બગડ્યું, બળ્યું ઊતર્યું ખાઈ દિન નિર્ગમે ॥૨॥
ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર ॥
ત્યારે જડભરતજી જઈ રહ્યા, ઊભા રાતમાં અડર ॥૩॥
અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે છે અંતરે વરતિ ॥
આપાપર4 ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ ॥૪॥
મતિમાં રતી નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી ॥
એવી રીતે જડભરતજી, સાચવે છે ખેતર ખળી5 ॥૫॥
ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભરતને ॥
ઊભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા તરતને ॥૬॥
ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી ॥
ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી ॥૭॥
પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હણવા કાજ ॥
તે દેખી ન શકી દિલે દેવી,6 હાથ ઝાલી લીધો વાજોવાજ7 ॥૮॥
પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં સર્વના શીશ ॥
પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઊતરી દેવીને રીશ ॥૯॥
જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતી તે વળી ॥
નિષ્કુળાનંદના નાથના વા’લા, તમને પીડ્યા પાપીએ મળી ॥૧૦॥