હરિબળગીતા
કડવું – ૧૩
નિગમ કહે છે વારતા નકીજી, જૂઠી ન થાય તેહ કોઈ થકીજી ।
સર્વે પુરાણે પ્રમાણી પકીજી, તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ॥૧॥
ઢાળ
ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ ।
સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ ॥૨॥
વચન લઈ વા’લા તણું, કરવું પુરુષ-પ્રયતન ।
વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ॥૩॥
વિધિ1 વામ2 વચને કરી,3 સરજે સંહારે સૃષ્ટિ સોય ।
શશી સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય ॥૪॥
અહીંદ્ર4 ઇંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ ।
મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ॥૫॥
મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ ।
તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હંમેશ ॥૬॥
ફેર પડ્યાનો ફડકો5 ઘણો, અતિ રહે છે ઉરમાંઈ ।
તેણે કરી તત્પર રે’ છે, સર્વે સમે સદાઈ ॥૭॥
એમ કરતાં અષ્ટમાં,6 એક બે જો અવળાં હોય ।
નિષ્કુળાનંદ નચિંત રહેવું, હરિ શરણાગતને સોય ॥૮॥ કડવું ॥૧૩॥