વચનવિધિ
ગ્રંથ મહિમા
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં ભગવાનના વચનમાં વર્તવાનો અતિ ઉત્તમ મહિમા ગાયો છે. જીવના કલ્યાણ માટે ભગવાનની આજ્ઞા અને વચન જ સર્વોપરી સાધન છે.
વચન પાળવાથી જ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જે વચન નથી પાળતા, તેમના બીજા તમામ સાધનો નિષ્ફળ જાય છે. વચનવિધિ ગ્રંથ ભક્તોને એ દૃઢતા કરાવે છે કે ભગવાનના એક એક વચનનું પાલન કરવું એ જ સાચી ભક્તિ છે.
વચને જમાડે વિષ જોય, તો તે અમૃત કરી પીયે કોય ।
તેનું ઝેર નવ વ્યાપે જંત, અજરાઅમર થાય છે અંત ॥
આ ગ્રંથમાં ૫૨ કડવાં અને ૧૩ પદ મળીને કુલ ૬૫ પ્રકરણો છે.
diamond