Meaning: Gujarati English
દેવતાતીર્થવિપ્રાણાં સાધ્વીનાં ચ સતામપિ ।
વેદાનાં ચ ન કર્તવ્યા નિન્દા શ્રવ્યા ન ચ ક્વચિત્ ॥
देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि ।
वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ॥
Devatātīrthaviprāṇām sādhvīnām cha satāmapi |
Vedānām cha na kartavyā nindā shravyā na cha kvachit ||
159
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. (શિક્ષાપત્રી: 21)
દેવતાયૈ ભવેદ્યસ્યૈ સુરામાંસનિવેદનમ્ ।
યત્પુરોઽજાદિહિંસા ચ ન ભક્ષ્યં તન્નિવેદિતમ્ ॥
देवतायै भवेद्यस्यै सुरामांसनिवेदनम् ।
यत्पुरोऽजादिहिंसा च न भक्ष्यं तन्निवेदितम् ॥
Devatāyai bhavedyasyai surāmānsanivedanam |
Yatpurojādihinsā cha na bhakṣhyam tanniveditam ||
160
અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. (શિક્ષાપત્રી: 22)
દ્રષ્ટ્વા શિવાલયાદીનિ દેવાગારાણિ વર્ત્મનિ ।
પ્રણમ્ય તાનિ તદ્દેવદર્શનં કાર્યમાદરાત્ ॥
द्रष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि ।
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ॥
Draṣhṭvā shivālayādīni devāgārāṇi vartmani |
Praṇamya tāni taddevadarshanan kāryamādarāt ||
161
અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઈને તેને નમસ્‍કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (શિક્ષાપત્રી: 23)
સ્વવર્ણાશ્રમધર્મો યઃ સ હાતવ્યો ન કેનચિત્ ।
પરધર્મો ન ચાચર્યો ન ચ પાખણ્ડકલ્પિતઃ ॥
स्ववर्णाश्रमधर्मो यः स हातव्यो न केनचित् ।
परधर्मो न चाचर्यो न च पाखण्डकल्पितः ॥
Svavarṇāshramadharmo yah sa hātavyo na kenachit |
Paradharmo na chācharyo na cha pākhaṇḍ-kalpitah ||
162
અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્‍સંગીએ ત્‍યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્‍પિત ધર્મનું આચરણ ન કરવું. (શિક્ષાપત્રી: 24)
કૃષ્ણભક્તેઃ સ્વધર્માદ્વા પતનં યસ્ય વાક્યતઃ ।
સ્યાત્તન્મુખાન્ન વૈ શ્રવ્યાઃ કથાવાર્તાશ્ચ વા પ્રભૌઃ ॥
कृष्णभक्तेः स्वधर्माद्वा पतनं यस्य वाक्यतः ।
स्यात्तन्मुखान्न वै श्रव्याः कथावार्ताश्च वा प्रभौः ॥
Kṛuṣhṇabhaktehe swadharmādvā patanam yasya vākyatah |
Syāttanmukhānna vai shravyāhā kathāvārtāshcha vā prabhauhau ||
163
અને જેના વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. (શિક્ષાપત્રી: 25)
સ્વપરદ્રોહજનનં સત્યં ભાષ્યં ન કર્હિચિત્ ।
કૃતઘ્નસઙ્‍ગસ્ત્યક્તવ્યો લુઞ્ચા ગ્રાહ્યા ન કસ્યચિત્ ॥
स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् ।
कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्या न कस्यचित् ॥
Svaparadroh-jananam satyam bhāṣhyam na karhichit |
Kṛutaghna-sangastyaktavyo lunchā grāhyā na kasyachit ||
164
અને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. (શિક્ષાપત્રી: 26)
ચોરપાપિવ્યસનિનાં સઙગઃ પાખણ્ડિનાં તથા ।
કામિનાં ચ ન કર્તવ્યો જનવઞ્ચનકર્મણામ્ ॥
चोरपापिव्यसनिनां सङगः पाखण्डिनां तथा ।
कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम् ॥
Chor-pāpi-vyasaninām sangah pākhaṇḍinām tathā |
Kāminām cha na kartavyo jan-vanchanakarmaṇām ||
165
અને ચોર, પાપી, વ્‍યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (શિક્ષાપત્રી: 27)
ભક્તિં વા જ્ઞાનમાલમ્બ્ય સ્ત્રીદ્રવ્યરસલોલુભાઃ ।
પાપે પ્રવર્તમાનાઃ સ્યુઃ કાર્યસ્તેષાં ન સઙ્ગમઃ ॥
भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्यरसलोलुभाः ।
पापे प्रवर्तमानाः स्युः कार्यस्तेषां न सङ्गमः ॥
Bhaktim vā gnān-mālambya strī-dravya-ras-lolubhāhā |
Pāpe pravarta-mānāhā syuhu kāryasteṣhām na sangamah ||
166
અને જે મનુષ્‍ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્‍યનો સમાગમ ન કરવો. (શિક્ષાપત્રી: 28)
કૃષ્ણકૃષ્ણાવતારાણાં ખણ્ડનં યત્ર યુક્તિભિઃ ।
કૃતં સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન ॥
कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभिः ।
कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ॥
Kṛuṣhṇa-kṛuṣhṇāvatārāṇām khaṇḍanam yatra yuktibhihi |
Kṛutam syāttāni shāstrāṇi na mānyāni kadāchan ||
167
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્‍ણ ભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવા. (શિક્ષાપત્રી: 29)
અગાલિતં ન પાતવ્યં પાનીયં ચ પયસ્તથા ।
સ્નાનાદિ નૈવ કર્તવ્યં સૂક્ષ્મજન્તુમયામ્ભસા ॥
अगालितं न पातव्यं पानीयं च पयस्तथा ।
स्नानादि नैव कर्तव्यं सूक्ष्मजन्तुमयाम्भसा ॥
Agālitam na pātavyam pānīyam cha payastathā |
Snānādi naiv kartavyam sūkṣhma-jantu-mayāmbhasā ||
168
અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી. (શિક્ષાપત્રી: 30)

Shlok Selection

Shloks Index