સ્તોત્ર સિન્ધુ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્

સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ - સત્સંગિજીવન: ૩/૪૩/૪૭-૬૦ (લલિત છંદ)

અતિ – મનોહરં સર્વ – સુન્દરં
  તિલકલક્ષણં ચંચલેક્ષણમ્ ।
વિબુધવન્દિતં સ્વામિનાથ તે
  વપુરિહાસતુ નો નિત્યદર્શને ॥૧॥

હે સ્વામીનાથ! અત્યંત મનોહર, સર્વ સૌંદર્યના ધામ કરતાં સુંદર, તલનાં ચિહ્નોવાળું, ચંચળ નયનકમળથી યુક્ત, ભવબ્રહ્માદિકે વંદન કરેલું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૧)

મદન – મોહનં પ્રેમ – દોહનં
  નયનગોચરં ભક્તસંચરમ્ ।
ભુવિ સુદુર્લભં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૨॥

કામદેવને પણ મોહ પમાડનારું, પ્રેમ વધારનારું, પ્રત્યક્ષ તથા ભક્તોમાં વિચરતું અને આ પૃથ્વીમાં અત્યંત દુર્લભ એવું આપનું આ શરીર, આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૨)

નિજજનૈઃ સદા વાંચ્છિતં હૃદા
  પરસુખાવહં હૃત્તમોપહમ્ ।
પરમ – મંગલં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૩॥

પોતાના ભક્તોએ સદા હૃદયથી ઇચ્છેલું, પરમ સુખ આપનારું, હૃદયના અજ્ઞાનને હરનારું અને (મંગળોનું પણ) પરમ મંગળ એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૩)

હૃદય – રોચનં બદ્ધ – મોચનં
  વિગતશોચનં દીર્ઘલોચનમ્ ।
મૃદુ – સિતામ્બરં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૪॥

હૃદયને આહ્‌લાદ આપનારું, બદ્ધજીવોને ભવબંધનથી મુકાવનારું, શોક મોહાદિથી રહિત, વિશાળ લોચનવાળું, કોમળ ઉજ્જવળ વસ્ત્રોને ધારણ કરનારું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૪)

મધુર – ભાષણં પુષ્પ – ભૂષણં
  વિજિતદૂષણં શોકશોષણમ્ ।
પ્રહસદાનનં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૫॥

મધુર વાણીથી યુક્ત, પુષ્પોનાં આભરણથી શોભિત, સર્વ દુર્ગુણોથી પર, શોકને શોષણ કરનારું અને હસતા મુખારવિંદથી (રમણીય) એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે, અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૫)

કુસુમ – શેખરં કોમલાન્તરં
  સદય – દર્શનં દુઃખકર્શનમ્ ।
વિધિહરાર્ચિતં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૬॥

પુષ્પોથી યુક્ત પાઘવાળું, કોમળ હૃદયવાળું, કૃપાપૂર્ણ દૃષ્ટિવાળું, સમગ્ર દુઃખને હરનારું, ભવબ્રહ્માદિક અધીશ્વરોએ અર્ચેલું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૬)

પરમ – પાવનં લોક – ભાવનં
  કુટિલ – કુન્તલં પુષ્પકુંડલમ્ ।
ભવભયાપહં સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૭॥

લોકો વડે સન્માન કરાયેલું, વાંકડિયા વાળવાળું, પુષ્પોનાં કુંડળોથી શોભાયમાન અને સંસારના ભયને વિદારનારું એવું આપનું અત્યંત પવિત્ર શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૭)

સકલસિદ્ધિભિઃ સર્વઋદ્ધિભિઃ
  શ્રિતપદં સદા યોગિભિર્મુદા ।
તદિદમેવ હિ સ્વામિનાથ તે
  વપુરિહાસ્તુ નો નિત્યદર્શને ॥૮॥

સકલ રિદ્ધિ-સિદ્ધિઓથી યુક્ત અને યોગીઓએ સદા હર્ષથી સેવેલા ચરણવાળું એવું આપનું આ શરીર આ લોકમાં અમારાં નિત્યદર્શનમાં રહે અર્થાત્ સર્વદા આપ અમારા નયનગોચર રહો. (૮)

તવ નિવાસતો દુર્ગપત્તનં
  જયતિ ભૂતલે સર્વતોઽધિકમ્ ।
ભવદુપાશ્રયાત્ મુક્તિરત્ર યદ્
  વસતિ સર્વદાન્યત્રદુર્લભા ॥૯॥

હે હરિ! આપના નિવાસને લીધે દુર્ગપુર નામનું નગર આ પૃથ્વી ઉપર સર્વ તીર્થક્ષેત્રાદિક થકી અતિ અધિક વિજયકારી વર્તે છે, કારણ કે આપના આશ્રયે રહેલી મુક્તિ આ સ્થાનમાં સર્વદા વસે છે જે બીજાં સ્થાનોમાં સાધનો કરવા છતાં પણ અત્યંત દુર્લભ (દુષ્પ્રાપ્ય) છે. (૯)

કુપથ – દુર્વનાદ્ ઘોરયૌવનાદ્
  રસનવૃશ્ચિકાત્ લોભલુબ્ધકાત્ ।
બહુતરાપદો ભૂરિ સમ્પદો
  મુહુરિહ ત્વયા રક્ષિતા વયમ્ ॥૧૦॥

આ લોકમાં કુમાર્ગરૂપી મહાઅરણ્ય થકી, કામના તરંગોથી ભરપૂર ઘોર યૌવન અવસ્થા થકી, જિહ્‌વા ઇન્દ્રિયરૂપી વીંછી થકી, લોભરૂપી પારધિ થકી, ઘણી જ આપત્તિઓથી અને બંધનકારી અતિશય સંપત્તિ થકી આપે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. (૧૦)

પ્રબલ – સંશયાદ્ દુષ્ટસંશ્રયાન્
  મદબિલેશયાત્ કુત્સિતાશયાત્ ।
સ્મરસરીસૃપાન્ માનકોણપાન્
  મુનિપતે વયં રક્ષિતા સ્ત્વયા ॥૧૧॥

(દોષે યુક્ત) પ્રબળ સંશયો થકી, (દંભી અને) દુષ્ટજનોના આશ્રય થકી, અભિમાનરૂપી (કાળા) સર્પ થકી, વિપરીત આશયો થકી, કામરૂપી અજગર થકી અને માનરૂપી રાક્ષસ થકી, હે મુનિપતિ! આપે અમારું રક્ષણ કર્યું છે. (૧૧)

અશુભ – ભાવતઃ ક્રોધદાવતો
  મૃતિજનુર્ભયાત્ પાપદુર્નયાત્ ।
મધુમહાવિષાત્ સર્વથામિષાદ્
  યતિપતે વયં રક્ષિતાસ્ત્વયા ॥૧૨॥

હે પરમહંસોના સ્વામી! અશુભ ભાવ થકી, ક્રોધરૂપી દાવાનળ થકી, જન્મમરણના ભય થકી, પાપને પેદા કરનાર દુરાચરણ થકી, દારૂ રૂપ મહા ઝેર થકી અને સર્વથા માંસના ભક્ષણ થકી આપે અમારું રક્ષણ કર્યું છે. (૧ર)

વિષયવારિધે સ્તારિતા યથા
  કરુણયા વયં ભૂરિશસ્તથા ।
તવપદામ્બુજા – સક્તિવિઘ્નતઃ
  સતતમેવ નઃ પાતુમર્હસિ ॥૧૩॥

જેવી રીતે આપે પરમ કૃપાથી વિષય-સમુદ્ર થકી અમોને પાર ઉતાર્યા છે, તેવી રીતે તમારાં ચરણકમળમાં જે અમારી આસક્તિ છે તેમાં કોઈ રીતે અંતરાય ન થાય તેમ અમારી નિરંતર રક્ષા કરવાને આપ યોગ્ય છો. (૧૩)

કવચન માનસં ત્વત્પદામ્બુજાદ્
  વ્રજતુ માન્યતો નાથ નઃ સદા ।
ઇતિ વયં મુહુઃ પ્રાર્થયામહે
  નિજજનપ્રિયં ત્વામધીશ્વરમ્ ॥૧૪॥

હે નાથ! અમારું મન તમારાં ચરણકમળ થકી કોઈ દિવસ પણ બીજે જાય નહિ અર્થાત્ બીજે ચળાયમાન થાય નહિ. એવી રીતે અમે પોતાના ભક્તજનોને પ્રિય એવા સર્વેશ્વર આપને વારંવાર પ્રાર્થના કરીએ છીએ. (૧૪)

Ati manoharam sarva sundaram (Shrī Hari Prārthanā stotram)

2-19005: Sadguru Shatanand Muni

Category: Sanskrut Stotro

Ati - manoharam sarva - sundaram

 Tilak-lakṣhaṇam chanchalekṣhaṇam |

Vibudha-vanditam Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||1||

Madan - mohanam prem - dohanam

 Nayan-gocharam bhakta-sancharam |

Bhuvi sudurlabham Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||2||

Nij-janaih sadā vānchchhitam hṛudā

 Para-sukhāvaham hṛuttamopaham |

Param - mangalam Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||3||

Hṛudaya - rochanam baddha - mochanam

 Vigata-shochanam dīrgha-lochanam |

Mṛudu - sitāmbaram Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||4||

Madhur - bhāṣhaṇam puṣhpa - bhūṣhaṇam

 Vijita-dūṣhaṇam shok-shoṣhaṇam |

Prahas-dānanam Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||5||

Kusum - shekharam komalāntaram

 Sadaya - darshanam dukh-karshanam |

Vidhiha-rārchitam Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||6||

Param - pāvanam lok - bhāvanam

 Kuṭil - kuntalam puṣhpa-kunḍalam |

Bhavabhayāpaham Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||7||

Sakal-siddhibhihi sarva-ṛuddhibhihi

 Shritapadam sadā yogibhirmudā |

Tadidamev hi Swāmināth te

 Vapurihāstu no nityadarshane ||8||

Tav nivāsato durgapattanam

 Jayati bhūtale sarvato’dhikam |

Bhavadupāshrayāt muktiratra yad

 Vasati sarva-dānyatra-durlabhā ||9||

Kupath - durvanād ghorayauvanād

 Rasana-vṛushchikāt lobh-lubdhakāt |

Bahutarāpado bhūri sampado

 Muhurih tvayā rakṣhitā vayam ||10||

Prabal - sanshayād duṣhṭa-sanshrayān

 Madabileshayāt kutsitāshayāt |

Smarasarīsṛupān mānakoṇapān

 Munipate vayam rakṣhitā stvayā ||11||

Ashubh - bhāvatah krodhadāvato

 Mṛutijanurbhayāt pāpadurnayāt |

Madhumahāviṣhāt sarvathāmiṣhād

 Yatipate vayam rakṣhitā stvayā ||12||

Viṣhayavāridhe stāritā yathā

 Karuṇayā vayam bhūrishastathā |

Tavapadāmbujā - saktivighnatah

 Satatamev nah pātumarhasi ||13||

Kvachan mānasam tvatpadāmbujād

 Vrajatu mānyato nāth nah sadā |

Iti vayam muhuhu prārthayāmahe

 Nijajanapriyam tvāmadhīshvaram ||14||

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ