home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) ઐસી ભક્તિ કરો હો મન મીતા

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

આ કીર્તન રચનાની પાછળનો પ્રસંગ ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’માં ઉલ્લેખાયો છે, જે આ રીતે શ્રીજીમહારાજનાં વચનો અંતરમાં ધારીને મુક્તાનંદ સ્વામીએ રચ્યાં છે:

સરધારમાં શ્રીહરિએ મુક્તમુનિને ઉદ્દેશીને એકાંતમાં વાત કરતાં કહ્યું, “અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી. જેમ જરાસંધે અપાર રાજાઓનાં પુર કબજે કર્યાં હતાં, પરંતુ જે શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી. તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે, તેની હું રક્ષા કરું છું. તેનાં પાપમાત્ર ટાળી દઉં છું, એમાં સંદેહ રાખવો નહીં. હું ધર્મનો લાલ છું; જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. જે મારાં વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટિ ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. જેનામાં રંચ માત્ર કપટ દેખ્યું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તોપણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો.”

શ્રીહરિની આ વાણીને સાંભળી મુક્તમુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દૃઢ નિર્ધાર કર્યો કે શ્રીહરિને ગમીએ તેવા થવું છે. પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીહરિની મરજી મુજબ કરવું છે. જ્યારે શ્રીહરિને તન, મન, પ્રાણ અર્પણ કર્યાં ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું? મુક્તમુનિએ આ પ્રસંગ પર આઠ પદ ‘એસી ભક્તિ કરો મન મીતા’ વગેરે બનાવ્યાં છે.

[પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, પૃ. ૪૩૭]

શ્રીહરિચરિત્રામૃતસાગરનાં મૂળ વચનો: रक्षा में करूँ तेह, रखे विश्वास जो मोर हि । इनमें नहि संदेह, पाप मात्र दिये छोरि के ॥ में हूँ धर्म के लाल, धर्म तिहाँ निवास मोर । जो वचन देहु रहे पाल, तब तेहि संग निवास करूँ ॥ मोरे भक्त हैं मोरे ही प्राना । तिनकुं तेसे करि में माना ॥ भक्त के मैं सदा आधिना । भक्त मोय तेहि बाँधि के लिना ॥ मो संग प्रीति करे जन कोई । तिन सें कोटि गनि करू सोई ॥ निष्कपट जो तेहि रहावे । तिन सें मेरी प्रीत न जावे ॥ रंच भर कपट देखुं में तामे । तो कबु न प्रीति रहे यामे ॥ एसो है मेरो सहज स्वभावा । सो तुमकुं सब कहि देखावा ॥ सुनि के मगन भये हरि वानी । मुनिवर लिये हित सो आनी ॥ निज मन में मुनि किन निरधारा । अपने एसो करनो निरधारा ॥ ज्युं हरि मरजी तैंसे करना । आप कि मरजी त्याग हि करना ॥ जब हरिकुं दिये तन मन प्राना । अपनो क्या अब रखना छाना ॥ मुक्तमुनि तेहि पर जोई । आठ पद बनाये सोई ॥ ऐसि भक्ति करो मन मिता । जाकर तरत होउ पुनिता ॥ (૩/૬૦/૧૫-૨૨)

અહીં આઠમાંથી છ પદો ઉપલબ્દ છે: ઐસી ભક્તિ કરો હો મન મીતા, ઐસી ભક્તિ કરો મન મેરાં, કનક કામની મેં અધિક ભામનિ, જબ લગી ત્રિયાં વસે મનમાંહી, નારી નયન શર જબ લગી લાગે, નારી પિશાચા વાકી મત કરો આશા.

History

(1) Aisī bhakti karo ho man mītā

Sadguru Muktanand Swami

The history behind the composition of these verses is mentioned in Purushottam Bolya Prite. Muktanand Swami wrote the verse after listening to Shriji Maharaj’s discourse as follows:

In Sardhar, Shri Hari addressed Muktanand Swami in private and said, “Whoever abides by my words will never encounter misery. Even though Jarasandh captures many kings’ cities, Shri Krishna protected them because they came to his refuge. Similarly, I protect those who trust me. I destroy all their sins. Never have any doubts in that. I am the son of Dharma. I reside wherever dharma is observed. I reside in whoever abides by my words. I consider my bhaktas to be my life. I am bound by my bhaktas. My bhaktas bind me with their bhakti. Whoever develops affection for me, I develop affection for them million times more. My affection for those who behave without deceit never subsides. Even if I see slight deceitfulness in someone, even if they try to love me, I cannot love them. This is my nature that I have revealed to you.”

Hearing these words of personal benefit, Mukta Muni decided in his mind to behave in a way that Maharaj would like. He decided to let go of his own wishes to abide by Maharaj’s wishes. When one has surrendered their body, mind, and life to Maharaj, then what can be kept secret from him? After this discourse, Mukta Muni composed eight verses.

[Purushottam Bolya Prite, Pg. 437]

Six of the eight verses are available here: Aisī bhakti karo ho man mītā, Aisī bhakti karo man merā, Kanak kāmanī me adhik bhāmani, Jab lagī triyā vase manmāhī, Nārī nayan shar jab lagī lāge, Nārī pishāchā vākī mat karo āshā.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase