કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના
અમે ૧૯૭૯માં સ્વામીશ્રી સાથે નવસારી તરફ વિચરણમાં હતા. તેમાં દંતેશ્વર ગામે તા. ૨૪-૬-૭૯ના રોજ સવારે સભા ચાલી રહી હતી. સ્વામીશ્રી પત્રલેખન કરી રહ્યા હતા. નારાયણ ભગત ‘સાંખ્ય’ વિષય ઉપર જોરદાર વક્તવ્ય આપી રહ્યા હતા. એમાં એવી વાત આવી કે, “ત્યાગ કર્યો, ભગવાં પહેર્યાં એટલે સાધુ થઈ જવાતું નથી, અંતરથી વૈરાગ્ય જોઈએ...” એમ કહી ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ કીર્તન ગાયું. ત્યારે અમે સૌ સાધુ થનારા યુવાનો સામે જોઈ સ્વામીશ્રી કહે, “ચિંતા ન કરતા. ત્યાગ કરજો. વૈરાગ્ય તો ભગવાન ને સંત લાવવાના છે!”
- શ્રીરંગ સ્વામી
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨]
