વિ. સં. ૧૯૯૮, દ્વિતીય જેઠ સુદ ૧૧ના (૨૪/૬/૧૯૪૨, બુધવાર) દિવસે શાસ્ત્રીજી મહારાજ મુંબઈ પધારેલા. તે વખતે પ્રમુખસ્વામી મહારાજ પણ સાથે હતા. અહીં સૌ શિવનારાયણ નેમાણીની વાડીમાં રોકાયેલા. આ રોકાણ દરમ્યાન શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને મુક્તાનંદ સ્વામી રચિત ‘સુખદાયક રે, સાચા સંતનો સંગ...’ ચોસર સ્વહસ્તે લખીને આપેલી અને તેનો મુખપાઠ કરવાની આજ્ઞા કરેલી. સ્વામીશ્રીએ તે જ દિવસે તેનો મુખપાઠ કરી દીધેલો.
આ ઉપરાંત ‘દરદ મિટાયા મેરે દિલ કા...’, ‘ક્યા તન માંજતા રે...’, ‘મારા વા’લાજી શું વા’લપ દીસે રે...’ વગેરે પદો પણ તે પુસ્તક ખોલ્યા વગર લલકારતા. તે જોતાં તેઓએ કરેલા મુખપાઠનો ભંડાર સારો એવો વિશાળ હશે તેનો ખ્યાલ આવતો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧]
