વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૭૬

તા. ૩/૬/૧૯૬૫, નડિયાદ, પૂજા કર્યા પછી ૭:૦૦ વાગ્યે વચનામૃતની કથામાં યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬માં ત્રણ લીટી છે. વાંચો... આ લીટી બધાએ યાદ રાખવી. મન સોંપી દેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૫]

 

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું, આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]

 

તા. ૧૬/૨/૧૯૬૬, યોગીજી મહારાજ સવારે ૫:૧૫ વાગે ઊઠ્યા. મંગળ પ્રવચન માટે ઠાકોરજીની રૂમમાં પધાર્યા. વચનામૃત ગઢડા પ્રથમ ૭૬નો મહિમા કહેતાં કહે, “મુદ્દાનું. સાડા ત્રણ લીટીનું વચનામૃત. મોઢે કરવું. અનુસંધાન રાખવું. જાણપણું રાખવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૦૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ