॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

એકાદશી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

એકાદશીનું આખ્યાન શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૮માં કહ્યું છે. મુરદાનવ જ્યારે પોઢેલા ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી આ કન્યા ઉત્પન્ન થઈ. તેને મુરદાનવનો વધ કર્યો. ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. એકાદશીએ માગ્યું, “મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય; અને હું તમારાં એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વિની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં.” ભગવાને તે પ્રમાણે વર આપ્યો અને આજના દિવસે પણ ભગવાન-પરાયણ મનુષ્યો એકાદશીનું વ્રત આદર થકી મહિનામાં બે વાર કરે છે.

Ekādashi

People in Shastras

The story of Ekādashi is told by Shriji Maharaj in Vachanamrut Gadhada II-8. Murdānav came to fight with God while he was sleeping. A young woman emerged from his eleven indriyas and killed Murdānav. God became pleased and granted her a boon. Ekādashi asked, “On my day of observance, no one should eat grains. Furthermore, since I was born from the divine light of your eleven indriyas, my name is Ekādashi. Since I am an ascetic, on my day of observance, no one should indulge in any of the vishays related to the eleven indriyas, which includes the mind.” God granter her the boon. Even today, devotees of God still observe the Ekādashi fast twice per month.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase