॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાકાભાઈ

સત્સંગી ભક્તો

કાકાભાઈ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલા રોજકા ગામના ગામધણી હતા. તેમના ભક્તિભાવને લઈને મહારાજ સાત વાર તેમને ત્યાં પધારેલા. ધોલેરાના દરબાર પૂંજાભાઈના સંગે કાકાભાઈને સત્સંગ થયેલો. તેમણે સત્સંગમાં રહી સમજણનું અંગ કેળવેલું. એક વાર સિદ્ધપુરમાં મહારાજે અચાનક તેમની ઘોડી માંગી તો ક્ષણનો વિલંબ કર્યા વગર તરત જ ઘોડી અર્પણ કરી દીધી. તેમને અંત અવસ્થા આવી ત્યારે પોતાની પન્તીનાં બધાં ઘરેણાં, પોતાનાં ઘરેણાં, ઘોડી, રૂપાની તાંસળી, રૂપાનો લોટો અને ૫૦૦ રૂપિયા રોકડા ભેટમાં મહારાજને મોકલ્યાં હતાં અને છેલ્લે દર્શન દેવાની વિનંતી કરેલી. તે વખતે મહારાજ પોતે પણ બીમાર હોવા છતાં મેનામાં બેસીને કાકાભાઈને અંતિમ દર્શન આપવા પધાર્યા હતા.

Kākābhāi

Satsangi Bhaktas

Kākābhāi was the chief of the village Rojakā, located in Dhandhukā division of the Amdāvād district. Because of his devotion, Maharaj graced his house seven times. He became satsangi through Darbār Punjābhāi of Dholerā. He had gained a solid understanding in satsang.

Once, in Siddhapur, Maharaj unexpectedly asked him for his horse. Without a second thought, Kākābhāi gave his horse to Maharaj. During his final days, he sent Maharaj all of his wife’s jewelry, his jewelry, horse, silver bowl, silver cup, and 500 rupees and asked Maharaj to give him darshan. Despite being sick himself, Maharaj went to give his final darshan to Kākābhāi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૦

  ગઢડા પ્રથમ-૭૨

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase