॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

દહરાનંદ સ્વામી

પરમહંસો

દહરાનંદ સ્વામીનો જન્મ સૂત્રેજ ગામમાં પીતાંબરભાઈ અને કાનુબાઈ થકી થયો હતો. તેમનું મૂળ નામ દાહાભાઈ હતું. કુટુંબમાં રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ હતો. માતા કાનુબાઈએ પોતાના ચારમાંથી બે દીકરા શ્રીહરિનાં ચરણોમાં સાધુ થવા અર્પણ કર્યા. શ્રીહરિએ દીક્ષા આપી પ્રેમજીભાઈનું નામ ‘પ્રસાદાનંદ’ અને દાહાભાઈનું નામ ‘દહરાનંદ’ રાખ્યું. દહરાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞાથી વિદ્યાર્થી સંત તરીકે સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ કરતા. પરમાનંદ સ્વામી તેમને સારસ્વત વ્યાકરણનો અભ્યાસ કરાવતા. ભજનાનંદ સ્વામી કાવ્ય, કોષ, સાહિત્ય શાસ્ત્રનો અભ્યાસ કરાવતા. નિત્યાનંદ સ્વામી વ્યાકરણ સિદ્ધાંત કૌમુદી, વેદાંત, પુરાણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા, જ્યારે ગોપાળાનંદ સ્વામી યોગશાસ્ત્ર, કર્મકાંડ, સ્મૃતિશાસ્ત્રો, જ્યોતિષ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા.

Daharānand Swāmi

Paramhansas

Daharānand Swāmi was born to Pitāmbarbhai and Kānubāi in Sutrej, located near Panchālā. His name was Dāhābhāi. His family were satsangis since Rāmānand Swāmi. Kānubāi gave two of her four sons to Shriji Maharaj to become sadhu. Maharaj named Premjibhāi ‘Prasādānand’ and Dāhābhāi ‘Daharānand’. As one of the studious sadhus, Daharānand Swāmi learned Siddhānt Kaumudi as per Shriji Maharaj’s command. He learned Saraswat Vyākaran from Paramānand Swāmi. Bhajanānand Swāmi taught him Kāvya, Kosh, and Sāhitya scriptures. He learned Vyākaran Siddhānt Kaumudi, Vedānt, Purān and other scriptures from Nityānand Swāmi. He learned Yoga-Shāstra, Karmakānd, Smruti-Shāstras, Jyotish, and other scriptures from Gopālānand Swāmi.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase