॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

આધારાનંદ સ્વામી

પરમહંસો

આધારાનંદ સ્વામી લીંબડી નજીક મેમકાના હંસરાજ સુથારના પુત્ર હતા. તેમનું નામ વીરજી સુથાર હતું. નાનપણથી જ ધર્મિષ્ઠ હતા. તેઓને સાધુ થવું હતું અને સાથે તેમના પિતાને પણ સાધુ થવું હતું, પછી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી વીરજી સાધુ થયા. તેઓમાં અનેક કળાઓ હતી. પોતે સારા સંગીતકાર અને કવિ હતા. તેમણે પોતાનાં કાવ્યો ‘સિદ્ધાનંદ’ નામે લખ્યાં છે અને પોતે ચિત્રકળામાં અત્યંત પ્રવીણ હતા. જ્યારે મહારાજે સૌને પૂજામાં પૂજવાની મૂર્તિ આપી ત્યારે તેમણે મહારાજની છબી દોરી તેને છપાવી હતી. આ ઉપરાંત ઘણી બધી વખત પોતાની ચિત્રકળા તેમણે મહારાજની સેવામાં વાપરી છે. તેઓ સારા લહિયા હતા. તેઓએ મહારાજની લીલાઓનો ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ ગ્રંથ તૈયાર કર્યો, જે તેમનું સંપ્રદાયમાં અદ્વિતીયા પ્રદાન છે.

Ādhārānand Swāmi

Paramhansas

Ādhārānand Swāmi was from Memakā located near Limbdi. His father was Hansarāj Suthār. His birth name was Virji Suthār. From childhood, he was inclined toward observing disciplines of dharma. Both he and his father wanted to become a sadhu. Virji became sadhu as per Muktānand Swāmi’s āgnā. He had many talents. He was a great singer and poet. He wrote verses under the name of ‘Siddhānand’. He was an expert in drawing. When Maharaj was distributing murtis to be worshiped, he drew Maharaj’s murti. He used his talent of drawing many times. He was also a great scribe. He wrote the granth Haricharitrāmrut Sāgar, which is an unparalleled work in the sampradāy.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase