॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧: નિર્વિકલ્પ સમાધિનું

નિરૂપણ

તા. ૩/૮/૧૯૬૮. ગોંડલમાં બપોરે જમ્યા પછી વરતાલનું પહેલું વચનામૃત વંચાવ્યું. તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગુણાતીત સ્થિતિ શું? માન-અપમાન, સુખ-દુઃખ, હાણ-વૃદ્ધિમાં એકતા થઈ જાય. હજારો માણસ અપમાન કરે તોય કંઈ નહીં. હાર પહેરાવે તોય કંઈ નહીં.

“અચળ મતિ શું? ચળે નહીં. ‘હશે કે નહીં?’ એમ ન થાય.

“મહારાજ આંબાવાડિયામાં બેઠા હતા તે આંબાને સંભાર્યો. જ્યાં જે હોય તેને આગળ લેવા પડે. આંબાને ન સંભારે તો એને એમ થાય કે ‘મને કેમ યાદ ન કર્યો?’ મૂંઝાય.

“નિશ્ચય શું? કર્તા, સાકાર, સર્વોપરી, અક્ષરધામના પતિ આ જ સર્વોપરી ભગવાન છે.”

પછી ભરૂચના ડૉ. મગનભાઈને વચનામૃતનો સાર કહેવા કહ્યું. પોતે બોલ્યા, “શ્રીજીમહારાજ બેઠા હતા તેમાં જોડાય, તો સમાધિ હોય કે ન હોય તોય સમાધિ જ છે. મન સાથે વૈર બંધાવું. તે તો સો ઘોડા ઘડે. સત્પુરુષ એ જ આપણું મન. તો મન અમન થયું. સત્પુરુષરૂપ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૨૧૧]

August 3, 1968, Gondal. After lunch and having Vachanāmrut Vartāl 1 read, Yogiji Mahārāj said, “What is the Gunātit state? In praise or insult, happiness or misery, regression or progression there is equanimity. Even if thousands of people insult us, there is no disturbance. If they praise us with a garland, even then there is no effect.

“What is firm conviction? Doubts such as ‘Is it true or not?’ do not arise.

“Mahārāj sat under a mango tree and remembered that tree. Whoever and whatever is prominent at the time should be remembered. If the tree is not remembered, then it would think, ‘Why wasn’t I remembered?’ - and become disturbed.

“What is conviction? To understand that God that I have attained is the all-doer, has a divine form, is supreme and is the master of Akshardhām.”

Then Yogiji Mahārāj asked Dr. Maganbhāi of Bharuch to explain the essence of the Vachanāmrut. But Swāmishri himself said, “If one is attached Shriji Mahārāj seated in front of him, whether one experiences samādhi or not, it is still samādhi. One should have animosity toward their mind. The mind is always conjuring thoughts. The Satpurush is our mind - that is when our man (mind) becomes aman (Satpurush’s thoughts become his and he ceases to have thoughts of its own); it becomes the form of the Satpurush.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/211]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase