॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૧: સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું

પ્રસંગ

પ્રસંગ ૧

સં ૧૯૪૫, મહુવા. યજ્ઞપુરુષદાસજીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ તથા પ્રસંગો દ્વારા ભગતજી મહારાજ વર્તમાન કાળે પ્રગટ એકાંતિક ભક્ત છે એવી વાતો કરી ત્યારે યજ્ઞપુરુષદાસજી બોલ્યા, “જુઓ ગઢડા અંત્ય ૨૧માં કહ્યું છે કે જેમ સોનાનો દોરો છએ ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાના તાપમાં ઢીલો થાય નહીં; તેમ સત્પુરુષમાંથી જેનું મન પાછું હઠે એવા દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારા સગાંવહાલાં છે. તે જ અમારી નાત છે. અને આ દેહે એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે; માટે વિચાર કરો કે સત્સંગમાં જેવું અને જેટલું ભગતજીનું અપમાન થયું છે તેવું તો કોઈનું થતું સાંભળ્યું નથી તો પણ સાધુ-સત્સંગીથી લગાર પણ ભાવ ઓછો થયો છે?”

ત્યારે વિઠ્ઠલભાઈએ કહ્યું, “ખરેખર! આ વચનામૃત તો સંપૂર્ણ ભગતજી ઉપર જ ઊતરે છે; કાં જે તેમના જેવું અપમાન તો કોઈનું થયું દીઠું નથી અને સાંભળ્યું પણ નથી, તે આખો સત્સંગ જાણે છે. માટે આ વચનામૃત પ્રમાણે ભગતજી પરમ એકાંતિક છે, એમ નક્કી થાય છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૩]

Prasang 1

Samvat 1945, Mahuvā. Yagnapurushdāsji had established Bhagatji Mahārāj as a param ekāntik Satpurush based on Vachanāmrut Gadhada I-27 and incidents from his life. While doing so, he had also referenced Gadhada III-21 and said, “In Gadhada III-21, Mahārāj says, ‘... a thread of gold remains the same in all six seasons; it does not become limp even during the heat of summer. Similarly, when one’s satsang is firm, then one’s mind never turns away from Satsang. Only such staunch satsangis are My kith and kin; and I wish to stay in the midst of such devotees during this life.’ Therefore, think - have you heard of anyone who has been humiliated in Satsang as much as Bhagatji, and yet his mind has not turned away from the sadhus and satsangis even slightly?”

Vitthalbhāi answered, “Truly, this Vachanāmrut completely applies to Bhagatji, because I have never seen anyone nor heard of anyone who has been insulted as much as him. Based on this Vachanāmrut, Bhagatji is the param ekāntik Satpurush.”

[Brahmaswarup Shri Prāgji Bhakta: 253]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase