॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

નિરૂપણ

તા. ૧૧/૬/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજે વાત કરી, “મહારાજે કહ્યું – હું તો ભક્તનો ભક્ત છું. તે ખરેખરા ભક્ત કોને કહેવાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ હોય તો ખરા?”

ત્યારે પ્રશ્ન થયો, “ખરેખરા શું?”

સ્વામીશ્રી કહે, “તમારા દીકરાના પગ ધોઈ અમે પી જઈએ, એ ખરેખરા ભક્ત. એ પ્રમાણે ભગવાનના ભક્તનો મહિમા છે. ભગવાનના ભક્તનો જેને અભાવ આવ્યો છે તે મોટા હતા તો પણ પદવી થકી પડી ગયા છે. જે કંઈ રૂડું થાય છે, તે સેવાથી જ થાય છે. ભગવાન પગચંપી કરવાથી રાજી ન થાય. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા, એના શિષ્યને રાજી કરે તો રાજી થઈ જાય. માનત સ્વામી લોટો લઈને રાત્રે પાણી પાવા નીકળે. દરેકને પાય. ભક્તની સેવા કરે તે ભગવાનની થઈ ગઈ. ભક્તની સાથે રહે ને સેવા ન કરે તો ભગવાન રાજી ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૬]

June 11, 1962, Mumbai. During the afternoon discourse, Yogiji Mahārāj said, “Mahārāj has stated that he is a devotee of devotees. Who can be labeled a true devotee? Can one who possesses dharma, gnān, vairāgya and bhakti be called a true devotee?”

So, a question was asked, “Who is a true devotee?”

Swāmishri answered, “A true devotee is one who would wash the feet of your son and drink that water. Such is the glory of a devotee of God. People who have found faults with devotees of God have fallen from high levels. Whatever good occurs is due to the service of a devotee of God. God is not just pleased if someone merely massages his feet. To please Shāstriji Mahārāj, one would have to please his devotees. At night, Mānat Swāmi would go around with water for the thirsty. He would give it to everyone. By serving devotees, one serves God. God is not pleased if one remains in close contact with a devotee of God but does not serve him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/356]

નિરૂપણ

૧૯૭૮/૯/૧૪. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રાતઃકથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૮ સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, “આપણે કોને રાજી કરવા છે તે જોવું. જેના થકી કલ્યાણ માન્યું છે તેના થકી જે વાત આવી તે માનવું. ઘણું કહેશો તો થાપો મારી દેશે પણ રાજીપો જુદી વાત છે. અનાદિની મહોર શ્રીજીમહારાજના વખતથી વાગી છે તે જોઈ જોડાઈ જવું. મેળે માવજીભાઈ થયા હોય તેનું ન માનવું...”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૫૩૪]

September 14, 1978. During his stay in Mumbai, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada II-28 during the morning discourse, “We should know who we need to please. We should believe the words of whom we have determined would liberate us. If we ask too much from the Satpurush, he will pat us with his blessings, but earning his pleasure is a totally different matter. We should join with one who is eternally certified by Shriji Maharaj. We should not believe the words of one who becomes Māvjibhāi on their own...”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/534]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase