॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૩૭: સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું

નિરૂપણ

તા. ૧૦/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૩૭ વંચાવી યોગીજી મહારાજ કહે, “ગીતામાં કહ્યું – જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. આ વચનામૃત આપણે જાત ઉપર નાખવું. કો’કના ઉપર નહીં. શૂરવીર થાવું. જે પ્રકૃતિ-ટેવ પડી હોય તે કાઢી નાખવી. સ્વભાવ મુકાવવા સત્પુરુષ જે ઉપાય કરે તેનો વિશ્વાસ રાખે, ખબર રાખે, તો ફર્સ્ટ પાસ થાય; નહીં તો બે વરસેય પાસ ન થાય. સત્પુરુષ જે કહે તેમ વર્તવું. સત્પુરુષ મૂંગા ન હોય. તે બોલે. બોલ્યામાં વિશ્વાસ રાખવો. શબ્દ ઝીલ્યા કરે એ પ્રીતિ. ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તોય હિતકારી માને, તો એકેય પ્રકૃતિ ઊભી ન રહે. જેને મોક્ષનો ખપ હોય તેને સારુ આ ઉપાય છે. ‘ગમે તેટલો તિરસ્કાર.’ એમાં માપ આવ્યું? આ કો’કના સારુ વાત છે? આપણા સારુ છે. કોઈ રીતે હૃદયમાં દુઃખ લગાડવું નહીં.

“કઠણ વચન ને તિરસ્કારમાં ફેર શો? તિરસ્કાર એટલે કાઢી મૂકે કે, ‘ભાગી જા! તારું મારે મોઢું જોવું નથી.’ કઠણ વચન એટલે ‘મૂરખ’ કહે. બે વચન સૂણીને હાણ થાય. મૂળજી-કૃષ્ણજીને ધોકાવીને કાઢ્યા, ત્યાં કીર્તન ગાવા લાગ્યા. કેટલી શ્રદ્ધા! મોટાપુરુષનું વચન એ જ ભક્તિ. ત્યાગ-વૈરાગ્ય હોય, છતાં મોટા કહે, ‘જમી લો,’ તો જમી લેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]

January 10, 1962, Mumbai. After having Vachanāmrut Gadhadā II-37 read in the afternoon discourse, Yogiji Mahārāj said, “It is said in the Gitā that even a person possessing gnān behaves according to his nature. We should apply this Vachanāmrut to ourselves, not others. We should become fearless and remove bad habits and nature. If one trusts the Satpurush in whatever means he employs to rid us of our flaws, one will pass first; otherwise one will not pass even after two years. One should behave according to the Satpurush’s wishes. The Satpurush is not mute. He will speak. One should trust every word he says. Love means capturing his words. If one considers the Satpurush’s words to be beneficial, no matter how hurtful, then none of his innate natures will remain. This solution is for those who have a desire for liberation. ‘No matter how much contempt.’ - Did Mahārāj say there is a limit when he said this? Is this talk for someone else? It is for us. One should not feel hurt in one’s heart.

“What is the difference between harsh words and contempt? Contempt is when one is thrown out: ‘Go away from here! I do not want to see your face!’ Harsh words is when one is called a fool. On the contrary, we are hurt after hearing two harsh words. Even though Mulji and Krishnaji were rebuked and driven out, they started singing kirtans. Such faith! True devotion is abiding by the words of the Satpurush. If one possesses the quality of detachment, yet the Motā-Purush instructs one to eat, one should eat.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/279]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase