॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૫: પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું

નિરૂપણ

તા. ૨૬/૭ની રાત્રે સ્વામીશ્રી મુંબઈ પધાર્યા... કથામૃતની આ હેલીમાં તેઓ મોક્ષમાર્ગનું સચોટ નિદર્શન કરતા. તેમાં એક વાર ગઢડા અંત્ય પ્રકરણના ૩૫મા વચનામૃત પર નિરૂપણ કરતાં તેઓએ જણાવેલું કે:

“હીરાનું પારખું ઝવેરી જ કરી શકે. બાકી તો ચિંતામણિ ને પથરા સરખાં જ લાગે. રામપરા ગામની અંદર લાલ ધૂળ નીકળે છે. તેથી ત્યાંના લોકોનાં ભગવાં કપડાં હોય છે. તેથી એ બધા સાધુ ન કહેવાય. બનાવટી સંતની જાળમાં લોકો ફસાય છે. મહાત્મા સમજી તેની પાસે જાય અને અંતે ખુવાર થાય.

“એક જંગલમાં સિંહ રહેતો હતો. તેને કંઈ ખાવાનું ન મળ્યું તેથી ભૂખ્યો થયો. પછી શિકારની શોધમાં ફરતાં ફરતાં એક ઝાડ પર દૂરથી વાંદરાને જોયો. સિંહે મનમાં વિચાર્યું કે આમ તો આ વાંદરાનો શિકાર થશે નહીં. તેથી તેણે મનમાં યુક્તિ ગોઠવી. પોતે મહાત્મા બની ગયો. જમીન પર ફૂંક મારીને ધીમે ધીમે પગલું મૂકે.

“વાંદરાએ ઝાડ પર બેઠાં બેઠાં આ જોયું. તે વિચાર કરવા લાગ્યો કે: ‘આ સિંહ જેવું હિંસક પ્રાણી અને એ આ પ્રમાણે ફૂંક મારીને જમીન પર પગલાં ભરે!’ તેને બહુ નવાઈ લાગી. અનેક પ્રકારના વિચારો તેના અંતઃકરણમાં ચાલવા લાગ્યા. તે આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો સિંહ તેની નજીક આવી ગયો. વાંદરાએ તેને પૂછ્યું કે, ‘તમે તો વનના રાજા કહેવાઓ અને તમે આ પ્રમાણે જમીન પર ફૂંક મારીને પગલાં ભરો છો તેનું કારણ શું છે?’

“સિંહે જવાબ આપ્યો કે, ‘સાંભળો, હું જાત્રાએ ગયો હતો. ત્યાંનાં પવિત્ર સ્થાનોનાં દર્શન કર્યાં, ત્યાંનું વાતાવરણ જોયું, બધા લોકો કંઈક ને કંઈક નિયમ લેતા હતા. મેં પણ ત્યાં વિચાર કર્યો કે હું પણ કંઈક નિયમ લઉં. પછી એક મોટા મહાત્મા હતા તેની પાસે મેં વર્તમાન ધરાવ્યાં અને નિયમ લીધો કે કોઈ પણ પ્રાણીમાત્રની હિંસા ન કરવી. કીડી જેવા જીવની પણ હિંસા ન કરવી. તેથી કીડી-મકોડી ન મરી જાય તેટલા માટે હું આમ ચાલું છું.’

“આ સાંભળી વાંદરાએ વિચાર કર્યો કે: ‘આવા હિંસક પ્રાણીમાં પણ આ પ્રમાણે ફેરફાર થઈ ગયો? તે જરૂર મહાત્મા બની ગયા! હવે હું જો તેને પગે લાગું તો મારા જીવનું કલ્યાણ થાય.’ આમ તેને સિંહની વાતમાં વિશ્વાસ આવી ગયો.

“પછી વાંદરો ઝાડ પરથી નીચે ઊતરી સિંહ પાસે આવ્યો. સિંહને તો ગમે તેમ કરીને વાંદરાને પકડવો હતો તેથી તેણે આ ઢોંગ ધારણ કર્યો હતો. વાંદરો પાસે આવ્યો અને વાંદરાની બોચી પકડી. પણ વાંદરો બુદ્ધિશાળી હતો. વાંદરો આ પ્રમાણે પકડાયો તો પણ હસવા લાગ્યો. આથી સિંહે વિચાર કર્યો: ‘આને મરવાનો સમય આવ્યો છે છતાં પણ તે કેમ હસે છે?’ તેથી સિંહે તેને પૂછ્યું કે, ‘તું શા માટે હસે છે?’ ત્યારે વાંદરાએ કહ્યું, ‘તું મને છૂટો મૂકે તો હું મારા આનંદનું વર્ણન કરી શકું.’ સિંહે આ રહસ્ય જાણવા વાંદરાને છૂટો કર્યો. ત્યારે જેમ બંદૂકમાંથી ગોળી છૂટે તેમ વાંદરો છૂટતાંની સાથે જ છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો અને રડવા લાગ્યો. તે જોઈ સિંહે રડવાનું કારણ પૂછ્યું ત્યારે વાંદરાએ વાત કરી, ‘મારા જેવા હજારો વિશ્વાસીનો તું ઘાણ કાઢી નાંખીશ એનું મને રડવું આવે છે.’ એમ કહીને પછી વાંદરો તો ચાલ્યો ગયો.

“એમ જગતમાં આવા કેટલાય મહાત્માઓ હોય છે. દુકાનોમાં બહારથી કાચનાં ઘણાં ડેકોરેશન કરેલાં હોય પણ અંદર જઈએ ત્યારે ખ્યાલ આવે કે શું માલ છે, શું ભાવ છે ને કેવો માલ મળે છે! તેમાં સોનું લેવા જઈએ ને પછી તેને બદલે પિત્તળ લઈ આવીએ તો રડવાનું જ થાય. એમ આપણે દીવો હાથમાં લઈને કૂવામાં પડીએ તો પછી આપણા જેવા મૂર્ખ કોણ કહેવાય? તેવી રીતે શ્રીજીમહારાજે આપણને દીવા જેવી ચોખ્ખી વાત બતાવી છે, સાચા સંત ઓળખાવ્યા છે. માટે ખોટા રસ્તા પર ભરમાવું નહીં.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૨૬૦]

July 26, 1976. Swamishri arrived in Mumbai. Once, Swamishri explained Vachanamrut Gadhada III-35:

“Only a jeweler can appraise a diamond; otherwise, to others, a chintāmani and a stone will be the same. In Rampara, the dirt is red; therefore, their clothes have an orange color. Just because their clothes are orange, we cannot call them sadhus. However, people are defrauded by pseudo-sadhus. They think of them as great mahātmās and become ruined in the end (by trusting them).

“Once, a lion who lived in one jungle could not find food and was starving. Searching for prey, he encountered a monkey sitting on one tree. The lion thought that he would not be able to kill the monkey, so he came up with a plot. He became a mahātmā and started to walk cautiously, blowing air on the ground.

“The monkey noticed this from the tree and thought, ‘Why is a carnivorous animal like the lion blowing air on the ground and taking steps cautiously.’ The monkey asked, ‘You are the king of the jungle. Why are you walking this way?’

“The lion answered, ‘Listen. I went on a pilgrimage and had darshan of all the holy places. I experienced the environment there. I saw others taking niyams so I also took a niyam not to kill any living beings - even as small as ants. Therefore, I am walking this way so I do not step on any ant and kill it.’

“The monkey thought how wonderful that a vicious lion was tamed in this way. He thought of bowing to the lion so that he may be liberated by him. He developed trust in the lion.

“The monkey jumped down from the tree. When he came near, the lion grabbed him by the neck. However, the monkey was clever. He started to laugh loudly. The lion asked, ‘Why are you laughing?’ The monkey said, ‘If you release me, I can tell you the reason for my joy.’ The lion let the monkey go. Just as a bullet is release from a gun, the monkey jumped back on the tree and started crying. The lion asked why he was now crying. The monkey said, ‘I am crying because you will kill many like me by gaining their trust.’

“There are many mahātmās like this lion in the world. There are many glass decorations in shops. When you step inside, you realize their value. If you go to buy gold and come back with copper, you will end up crying. If you walk with a candlelight and still fall into a well, then who is more foolish that us? Shriji Maharaj’s talks are like candlelight - he has explained the qualities of a true sadhu. We should not become trapped by false sadhus.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/260]

નિરૂપણ

બ્રાહ્મીસ્થિતિની અલમસ્તાઈથી તા. ૧૧/૨ના રોજ ગઢડા અંત્ય પ્રકરણના ૩પમાં વચનામૃત પર કથામૃત રેલાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું:

“ભગવાન અને સંત આગળ સરળ રહીએ, તે કહે તેમ કરી નાંખીએ તો સુખ મળે. સાપ બધે વાંકો ચાલે પણ દરમાં સીધો થઈ જાય. ત્યાં વાંકો ચાલે તો છોલાય ને કીડીઓ વળગી પડે. તેમ બીજે વાંકા-ચૂંકા ચાલીએ તો ચાલે પણ જેની પાસે મોક્ષ લેવો છે તેની આગળ સીધા ચાલવું. સરળતા રાખી કામ કરવું. જે સેવા સોંપે તે કરીને રાજી કરવા. હજારો સંત આગળ સરળ કેમ થવું? પણ એક સત્પુરુષની આગળ સરળ વર્તે તો બધાની આગળ વર્તાય. અંગ પાડી દીધું હોય તો બધે થવાય. સરળતા હોય તો ભજનનું સુખ આવે. ‘આ મૂકી દો, આ કરો’ તો તેમ કરે, જો મોક્ષનો ખપ હોય તો! સરળ વર્તવાનો સ્વભાવ છે તેને દુઃખ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૨૩]

February 11, 1974. Swamishri explained Vachanamrut Gadhada III-35:

“One becomes happy if they remain straight-forward with God and the Sant and do as they say. A snake zigzags everywhere except in its burrow. If he tries to twist and turn, its skin will be scarred and ants will swarm to bite it. Similarly, if we walk waywardly elsewhere, that is fine; but we have to walk straight in front of one who grants liberation. One should complete their task in a straight-forward manner and please them by doing their assigned sevā. How can one become straight-forward in front of thousands of sadhus? If one behaves in front of one Satpurush, then one can in front of others. If one makes it a habit, then one can behave as such everywhere. If one is straight-forward, then one derives happiness in their devotion. If God or the Sant say, ‘Drop this and do this instead,’ then one would do that - if one has a self-interest in their moksha. One who behave this way will not be unhappy.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part2/323]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase