॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૦: એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું

નિરૂપણ

તા. ૧૯/૪/૧૯૭૦, મોમ્બાસા. બપોરે એક વાગ્યે રવિભાઈને બંગલે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૦ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બીજાની મો’બત રાખવા સારુ ગુણાતીત મંડળનો દ્રોહ કરે. પોતાને સારું થવું હોય; રસોઈ ખાવી હોય; એમ સારપ રાખવા દ્રોહ કરે. શુકમુનિને ગુણાતીત સ્વામીનો ગુણ. તેથી સિદ્ધાનંદ સ્વામી કહે, ‘શુકમુનિ શું સમજે? એ તો પોપટ છે.’ શિવલાલ શેઠને સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું, ‘જૂનાગઢમાં તો કાળમીંઢ પાણા છે. ત્યાં જઈશ નહીં. એવી પ્રતિજ્ઞા લે. મારા પગ ઝાલ.’ શિવલાલે અવળા પગ ઝાલ્યા અને કહે, ‘જૂનાગઢ ગયા વગર રહું તો પગ ઝાલું.’ આમ, કેટલાક જાણ્યે કરીને પણ મોટાપુરુષનો અપરાધ કરતા. અંદરોઅંદર દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગવું. ‘એ શું સમજે?’ એમ ન કરવું. માફી માગવી. ભગવાનના ભક્ત હારે દાસાનુદાસ જ રહેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૬૫]

April 19, 1970, Mombasa. Explaining Vachanāmrut Gadhadā II-40 during the afternoon discourse at 1 pm at Ravibhāi’s house, Yogiji Mahārāj said, “To maintain one’s reputation with others, one maligns the Gunātit mandal. They want to look good to others and want good food - so they malign to look good. Shukmuni Swāmi had goodwill for Gunātitānand Swāmi. Thus, Siddhānand Swāmi remarked, ‘What does Shukmuni know? He is a parrot.’ Siddhānand Swāmi said to Shivlāl Sheth, ‘There are very hard black stones in Junāgadh. Take an oath to never go there. Hold my feet.’ Shivlāl responded, ‘I will only hold your feet if I don’t go to Junāgadh.’ In this way, many knowingly maligned the Motā-Purush. If offense is caused among yourselves, then seek forgiveness. Don’t think, ‘What does he know?’ Always remain as a servant of a servant with God’s devotees.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/165]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase