॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૫: ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું

નિરૂપણ

તા. ૧૯/૪/૧૯૭૦, મોમ્બાસા. લોહાણા એસેમ્બલી હૉલમાં યોગીજી મહારાજ કહે, “નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, ‘આશરાનું શું રૂપ છે?’ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણે પ્રેમથી ઉત્તર આપ્યો, ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ! હે અર્જુન! તારું મનધાર્યું મૂકી દે. હું કહું તેમ કર.’ અર્જુને તેમ કર્યું, તો તેની જીત થઈ. મહારાજે તેમની મૂર્તિ નરનારાયણની અમદાવાદમાં બેસાડી. આશરો કર્યાનાં ત્રણ લક્ષણ છે: (૧) મહાપ્રલય જેવું દુઃખ આવતું તો નથી. કદાપિ આવી પડે તોય રક્ષાના કરનારા ભગવાન ને સંત વિના બીજાને ન જાણે. (૨) જે જે જોઈતું હોય તે પોતાના ઇષ્ટદેવ પાસે જ માગે. (૩) તેની મરજી પ્રમાણે વર્તે. મહારાજે નિત્યાનંદ સ્વામીને જવાબ દીધો. શ્રીમુખની વાણી સમજવા જેવી છે. આકાશ ફાટે તેટલું દુઃખ આવે તોય રક્ષાના કરનારા શ્રીજીમહારાજ વિના બીજાને ન માને. તેની ઇચ્છા વિના સૂકું પાંદડુંય હલવા સમર્થ નથી. ગુણાતીત સ્વામીએ વાતમાં કહ્યું, ‘કોઈ માર માર કરતો આવતો હોય તોય સમજવું કે મારા સ્વામીની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી.’ સ્વામી અને મહારાજ બેય એક જ વાત બોલ્યા. મેળ મળી ગયો. અક્ષરે સહિત પુરુષોત્તમની ખરી સર્વોપરી નિષ્ઠા હોય તેને શાંતિ શાંતિ વર્તે. ટાઢું વર્તે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૬૩]

April 19, 1940. Mombasa. In the ‘Lohana Assembly Hall’, Yogiji Mahārāj said, “Nityānand Swāmi asked, ‘What is the characteristic of refuge in God?’ Manifest Purushottam Narayan answers the question with love: ‘Sarva dharmān parityajya māmekam sharanam vraja! O! Arjun. Abandon the whims of your mind. Do as I say.’ Arjun did as told so he won (the Mahābhārat war). Mahārāj installed his murti along with Nārāyan (as Nar-Nārāyan) in Amdāvād. There are three characteristics of refuge in God: (1) We do not encounter misery equal to the final dissolution; but if we do, one would believe only God and his Sant are the true protectors, no one else. (2) If one needs something, he only asks God. (3) He behaves according to his wishes. Mahārāj answered Nityānand Swami. His words are worthy of understanding. One experiences misery like the whole world will fall apart, yet he believes no one except Shriji Mahārāj will protect him. Without his wish, not even a dry leaf would stir in the wind. Gunātitānand Swāmi said, ‘If someone comes charging at us with the intent of beating us, we should understand that everything happens according to my Swami’s wishes; however, without his will, no one can stir a leaf.’ Mahārāj and Swāmi both said the same thing. Both are connected. One who has the belief of Purushottam along with Akshar will experience peace and tranquility.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/163]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase