॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૧: મુદ્દાનું

પ્રસંગ

પ્રસંગ ૨

સં. ૧૯૭૨. સારંગપુરમાં લીમડીના ઠાકોર સાહેબે મધ્યખંડમાં રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવવાની વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂર્ણભાવમાં આવી જવાબ આપ્યો કે અક્ષરપુરુષોત્તમ માટે જ મુંડાવ્યું છે. ઠાકોર સાહેબ હાથ જોડી નમી પડ્યા ત્યારે સ્વામીશ્રીએ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. પછી સ્વામીશ્રીએ વાત કરી, “જેને જે ઉપાસ્ય હોય તેની જ મૂર્તિની તે પ્રતિષ્ઠા કરે અને પૂજન, અર્ચન, ધ્યાન વગેરે કરે ત્યારે તે સાચો ઉપાસક કહેવાય. આપણને સાચા ઉપાસક થવા માટે કલ્યાણનો માર્ગ શ્રીજીમહારાજે ગઢડા મધ્ય ૨૧ના વચનામૃતમાં બતાવ્યો છે. તે પ્રમાણે પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર અને તેમના ભક્તો નારદ, સનકાદિક, ઉદ્ધવ, હનુમાનજી વગેરેનો જેટલો મહિમા સમજાય છે, તેટલો જ મહિમા પ્રત્યક્ષ ભગવાન જે સહજાનંદ સ્વામી અને તેમના ભક્ત અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આદિનો જો સમજાય તો કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. ઠાકોર સાહેબ! આપણી સાચી ઉપાસના આ છે. માટે સ્વામી અને નારાયણ અથવા અક્ષર અને પુરુષોત્તમનો મહિમા યથાર્થ સમજાય ત્યારે આપણે સાચા ઉપાસક કહેવાઈએ.”

એટલી વાત કરીને પછી બોલ્યા, “શ્રીજીમહારાજે પ્રગટ થઈ જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે એકાંતિક ધર્મ સ્થાપિત કર્યો અને તેવા એકાંતિક ૫૦૦ પરમહંસો પણ પોતાની સાથે લાવ્યા. આજ પણ પોતાના સાક્ષાત્ સંબંધવાળા એકાંતિક સત્પુરુષ મહારાજ પોતાના આશ્રિતો માટે પૃથ્વી ઉપર મૂકતા ગયા છે. તો તેવા સત્પુરુષને લક્ષણે કરીને ઓળખી તેમને શરણે જવું કે જેથી મહારાજનો યથાર્થ નિશ્ચય થાય. મનુષ્ય જન્મમાં સત્પુરુષના સંબંધે કરીને અને તેમની સેવાએ કરીને જ શુભ સંસ્કાર બંધાય છે. માટે એવા સાચા સત્પુરુષને ઓળખી, તેમની સેવા મન, કર્મ, વચને કરી, એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેવો એ જ મનુષ્યદેહનું સાચું કર્તવ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૨૭]

Prasang 2

Samvat 1972, Sārangpur. Thakor Saheb of Limdi requested Shāstriji Mahārāj to install the murtis of Rādhā-Krishna in the central shrine instead of the murtis of Akshar-Purushottam. Shāstriji Mahārāj boldly replied, “We have shaved our head (become sadhus) for Akshar-Purushottam.” Subdued by this answer, Thakor Saheb simply folded his hands.

Swāmishri assumed his gentle nature and said, “Whoever is the object of their upāsanā, they install their form and do pujan, archan, and dhyān; otherwise, he is not a genuine upāsak. Shriji Mahārāj has shown us the path of liberation in Vachanāmrut Gadhada II-21 so that we can become true upāsaks. Accordingly, the extent of greatness we understand of the non-manifest avatārs, such as Ram, Krishna, etc., and their bhaktas, such as Nārad, Sanakādik, Uddhav, Hanuman, etc., the same extent should be understood of the manifest Bhagwān Sahajānand Swāmi and his bhakta Aksharbrahman Shri Gunātitānand Swāmi. If one understands this much, they have attained the main principle of liberation. This is our true upāsanā. Hence, we have to understand the greatness of Swāmi and Nārāyan, or Akshar and Purushottam.

“Shriji Mahārāj manifested on this earth and established ekāntik dharma to liberate countless jivas. He also brought with him 500 ekāntik paramhansas. Even today, He left an Ekāntik Satpurush, who has a direct relationship with him, for his followers. One should recognize that Ekāntik Satpurush by his qualities and seek his refuge, so that one will develop firm conviction of Mahārāj. Sanskārs are only obtained from the relationship with and serving a Satpurush. The ultimate goal of this human birth is to imbibe ekāntik dharma by the association of a genuine Satpurush.”

[Brahmaswarup Shāstriji Mahārāj: 1/427]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase