॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૫: વીસ કોશના પ્રવાહનું

ઇતિહાસ

વચનામૃત ગઢડા પ્રથમ ૨૫માં ભગવાન સ્વામિનારાયણ કહે છે, “હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું, તે તેજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું...’”

શ્રીજીમહારાજના આ કૃપાવચનનું મૂળ આ મુજબ પ્રાપ્ત થાય છે:

આ અરસામાં (એટલે કે સંવત ૧૮૭૬ના પોષ માસમાં) જ મેઘપુરથી લાડકીબા મહારાજનાં દર્શને આવ્યાં. મેઘપુરમાં મૂળજી ભક્ત મરાયા ત્યારથી મહારાજ મેઘપુરમાં ગયા ન હતા, તેથી લાડકીબા આજુબાજુમાં મહારાજ જ્યાં જ્યાં પધારતા ત્યાં દર્શને જતાં. મહારાજ પ્રત્યેના અપાર પ્રેમને લઈને તેમની ઇન્દ્રિયો સદા મહારાજના સ્વરૂપમાં જોડાયેલી રહેતી. તેઓ ગઢપુર આવ્યાં, મહારાજનાં દર્શના કર્યાં અને તરત જ તેમને સમાધિ થઈ. સમાધિમાં તેમને સમુદ્રમાં ભરતીનાં ભયંકર મોજાં આવે તેવાં પ્રકાશનાં મોજાં દેખાયાં. વળી, જાણે હમણાં બ્રહ્માંડ ફાટી જશે એવા નાદના ગડગડાટ પણ સંભળાયા. આથી લાડકીબા સમાધિસ્થ અવસ્થામાં બોલવા લાગ્યાં, “મહારાજ! બળું છું. બળું છું. મને ઉગારો.”

તેમના આ શબ્દો સાંભળી જીવુબા, લાડુબા અને અન્ય બાઈઓ ધ્રૂજી ગઈ. જીવુબાએ મહારાજને પૂછ્યું, “મહારાજ! આને શું થાય છે?”

ત્યારે મહારાજે વિસ્તારથી જે વાત કરી તે અહીં નોંધાઈ છે.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૮૪]

In Vachanāmrut Gadhadā I-25, Shriji Mahārāj says: “Recently, I granted samādhi to a devotee in which she saw intense divine light. Seeing that light, she began to scream; she shouted, ‘I’m burning!’…”

The reason for Shriji Mahārāj’s gracious words is as follows:

Around the month of Posh of Samvat 1876, Lādkibāi came for Mahārāj’s darshan from Meghpur. Ever since Mulji Bhakta was killed in Meghpur, Mahārāj had not visited Meghpur. Therefore, Lādkibāi went for Mahārāj’s darshan whenever Mahārāj visited nearby villages. Due to her intense love for Mahārāj, her indriyas were always drawn toward Mahārāj’s swarup. When she arrived in Gadhpur, she immediately entered the samādhi state. In the samādhi state, she saw frightful incoming waves of light similar to enormous crashing waves of an ocean. She heard terrifyingly loud thuds as if the whole brahmānd will split apart. This experience caused Lādkibāi to shriek whilst in samādhi, “Mahārāj, save me. I’m burning, I’m burning…”

Hearing Lādkibāi’s screams, Jivubā, Lādubā and other women also started to tremble. Jivubā asked, “Mahārāj, what is happening to her?”

Mahārāj’s answer has been captured in the discourse delivered in this Vachanāmrut.

[Bhagwān Swāminārāyan – Part 4/184]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase