॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૬: મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું

નિરૂપણ

તા. ૨/૨/૧૯૫૫, ગાના. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૪૬ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાનના એકાંતિક છે એ જ ભગવાનનો માર્ગ છે. તેનો અભાવ એ જ ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. એકાંતિક ધર્મ એટલે શું? સત્પુરુષનું પ્રગટપણું એ જ એકાંતિક ધર્મ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૩૯]

February 2, 1955, Gānā. After reading Vachanāmrut Gadhadā II-46 during the afternoon discourse, Yogiji Mahārāj said, “The Ekāntik Satpurush of God is the pathway to God. An aversion to him should be known as falling from the path of God. What is ekāntik dharma? Understanding that the Satpurush is manifest on earth is ekāntik dharma.”

[Brahmaswarup Yogiji Mahārāj: 1/539]

યોગીજી મહારાજ કહે, “મરણદોરીના વચનામૃતમાં મહારાજ કહે છે: ‘જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો એ એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો.’ એકાંતિક ધર્મમાંથી પડવું એ જ એકાંતિકને મરણ છે. ભગવાન ને ભગવાનના સંતનો અવગુણ લેવો એ પંચ મહાપાપથી પણ મોટું પાપ છે. માટે સેવા થાય તે કરવી, પણ અસેવા જે અવગુણ લેવો, તે ક્યારેય ન કરવું.”

[યોગીવાણી: ૭/૨૯]

Yogiji Mahārāj said, “In the Vachanāmrut titled ‘The Death-line’, Mahārāj explains that when an aversion develops in one’s heart toward God or his Sant, it should be known as falling from ekāntik dharma. To fall from ekāntik dharma is death for an ekāntik. To find a fault in God and his Sant is a sin greater than the five grave sins. Thus, one should perform service if able, but never perform disservice, which is finding faults.”

[Yogi Vāni: 7/29]

ગઢડા મધ્ય ૪૬ વચનામૃત સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગમે તેટલા પૂજાતા હોય, ગાદી-તકિયે બેઠા હોય, સદ્‌ગુરુ હોય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવાનો અવગુણ હોય તો જીવતા છતાં મરેલા છે.”

[યોગીવાણી: ૨૪/૨૫૭]

Explaining Vachanāmrut Gadhadā II-46, Yogiji Mahārāj said, “Regardless of how much one is worshiped or seated upon a grand dais or considered a sadguru, if one perceives faults in a someone like Shāstriji Mahārāj, then one is considered dead despite being alive.”

[Yogi Vāni: 24/257]

અભરામન દાવા

આજે બપોરે ટરોરોના કનુભાઈને ત્યાં વેમ્બલીમાં ઠાકોરજી જમાડ્યા પછી બપોરની કથામાં મધ્યનું ૪૬મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“ક્રોધે કરીને પડ્યો, એટલે શું? કે સત્પુરુષમાં ક્રોધ પરઠ્યો ને તેથી પડ્યો. કામે કરીને પડ્યો, તે શું? કે સત્પુરુષમાં કામ પરઠ્યો ને તેથી પડ્યો.

“કોઈ રીતે સત્પુરુષનો અભાવ ન લેવો; તો અભરામન દાવા. તે વિના ગમે તેટલાં તપ કરે, વ્રત કરે, ક્રિસમસની રાતે ૧૨-૦૦ વાગે (ટ્રફાલ્ગર સ્ક્વેરના) ફુવારામાં ટાઢમાં ન્હાય, તોય કલ્યાણ ન થાય.

“જો સત્પુરુષનો અભાવ ન લ્યે, ને ગુણ લ્યે, તો ગમે તેવો પાપી હોય તોય ધામમાં જાય. સાધન કરવા ગ્યો? ના. અભાવ ન લીધો, એટલું જ સાધન.”

દસ્તાવેજમાં લખાતો શબ્દ. અર્થ: ભ્રમ વિના અક્કલથી - હોશિયારીથી બધું પાકું કરેલું હોવાથી, ઇતર કોઈ વ્યક્તિને કાંઈ લેવા-દેવા કે હક ઇલાકો ન રહે તે. અર્થાત્ સત્પુરુષનો અભાવ ન લે તે હોશિયારીપૂર્વક બધું પાકું કરીને અક્ષરધામનો હકદાર બને છે. તે પર કાળ-માયાદિનો હક રહેતો જ નથી.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૨૫૨]

Cleverly Stated Legal Terms

Today, in the afternoon at Kanubhai’s (previously from Tororo, now in Wembley) house, Yogiji Mahārāj has Gadhadā II-46 read and said, “What does it mean to fall due to anger? It means he perceived anger in the Satpurush and hence fell. Fall from lust? He perceived lust in the Satpurush and fell.

“Do not perceive faults in the Satpurush in any way. That is abharāman dāvā. Without that, no matter how much austerities one performs, how much one fasts, one goes to bathe in the freezing fountains of Trafalgar Square at midnight of Christmas, yet one will not be liberated.

“If one does not find faults in the Satpurush, no matter how grave a sinner he may be, he will go to Dhām. Did he go do any spiritual endeavors? No. He simply did not find faults in the Satpurush - that was his only spiritual endeavor.”

A term used in legal documents, referring to writing the terms cleverly such that no loopholes remain in one’s right to land, property, etc. In this context, one who does not find flaws in the Satpurush is clever such that he claims a rightful spot in Akshardhām, and kāl, māyā, etc. have no right over him.

[Brahmaswarup Yogiji Mahārāj: 6/252]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase