॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૮: ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કરોડ જન્મ સુધી અંતર્દૃષ્ટિ કરે ને ન થાય તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાં બળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે ને મહારાજે પણ કહ્યું છે જે, ‘કોઈક મિષ લઈને આવા સાધુમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.’ તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે.”

[સ્વામીની વાતો: ૬/૫૩]

Gunātitānand Swāmi says, “What does not happen even after ten million births of introspection will happen in one month with the help of the great Sādhu. Such is the power of this association. Therefore, this is our principle and Mahārāj has also said, ‘By making some excuse, I wish to be born in the midst of this kind of Sādhu.’ Such a birth has been taken by us.”

[Swāmini Vāto: 6/53]

સં. ૧૯૪૯, ગઢડા. સવારે હરિભક્તો ભગતજીના ઉતારે દર્શને ગયા ત્યારે તેઓ કહે, “તમારે માટે મારે પચ્ચીસ જન્મ ધરવા પડે તો પણ તમને બધાને ચોખ્ખા કરીને અક્ષરધામમાં લઈ જઈશ, ત્યારે શાંતિ થશે. વળી, મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, ‘કોઈ જન્મ ધરવાનું નિમિત્ત તો નથી, પણ એવું નિમિત્ત ઉત્પન્ન કરીને પણ ભગવદીના મધ્યમાં જન્મ લેવો શ્રેષ્ઠ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૩૦૪]

Samvat 1949, Gadhada. In the morning, devotees went for Bhagatji’s darshan. Bhagatji Mahārāj said, “Even if I have to take 25 births for you, I will do so in order to purify you and take you to Akshardhām - only then will I be at peace. Mahārāj has also said in the Vachanāmrut: ‘although there will be no reason for Me to take birth again, I feel in My heart that I should make a reason and take birth in the company of such sādhus.’

[Brahmaswarup Prāgji Bhakta: 304]

યોગીજી મહારાજ કહે, “પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે મૂર્તિ અખંડ રહે તેનાં સાધન જુદાં. તે સાધન શું? અક્ષરબ્રહ્મ-ગુરુને ઓળખીને રાજી કરવા.”

[યોગીવાણી: ૨૪/૨૭૬]

Yogiji Mahārāj said, “Mahārāj informed Premānand Swāmi that the means to constantly behold the divine form of God are different. What are those means? To recognise the Aksharbrahma guru and please him.”

[Yogi Vāni: 24/276]

તા. ૧૨/૫/૧૯૬૩, પંચાળા. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૮ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન વિના બીજું ચિંતવન કરે છે એ અતિ ભૂલ્યો. કૉલેજવાળા, હાઈસ્કૂલવાળા અતિશે ભૂલ્યા છે. ઑફિસવાળા, ન્યાયવાળા, ફોજદારવાળા અતિશે ભૂલ્યા છે. કૂતરાં, ગધેડાંનાં લગનમાં ઢોલ નથી વાગતાં. એની મેળે થઈ જાય. તે સુખ બધી યોનિમાં છે. ઢોરાંને ઘાસ મળે, બધું મળે, પણ મોક્ષ મળે છે? નથી મળતો. સારું મકાન કર્યું હોય તો ઠાકોરજી પધરાવી વાપરીએ તેમાં ભક્તિ ને ચિંતવન થાય. વ્યવહારમાં માલ તે લૌકિક દૃષ્ટિ! જ્યાં મહારાજ જમ્યા હોય, ગુણાતીતાનંદ સ્વામી જમ્યા હોય, તે મહા-પ્રસાદી. શાસ્ત્રીજી મહારાજ જ્યાં બેઠા, તે ધારશીભાઈના ઘરે જવા કોઈએ આગ્રહ કર્યો હતો? કોઈએ કહ્યું હતું? છતાં આપણે ગયા. ભગવાન ને સંત જ્યાં બેઠા એ અક્ષરધામ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૮]

May 12, 1963, Panchālā. After having Gadhadā II-48 read, Yogiji Mahārāj said, “One who contemplates on anything other than God is completely lost. College and high school students are completely lost. Office workers, people working in law, and police are completely lost. Dogs and donkeys do not have wedding ceremonies. It happens automatically. That [worldly] happiness is found in all life forms. Cattle get grass and other necessities, but is liberation attained? It is not attained. If one builds a nice house and installs the murti of Thākorji, then one can offer devotion and contemplate on God. One who perceives worth in worldly affairs has a worldly vision. Wherever Mahārāj and Gunātitānand Swāmi have eaten is a sanctified place. Did anyone insist that we go to Dhārashibhāi’s house, which was graced by Shāstriji Mahārāj? Did anyone tell us to go there? Yet, we still went. Wherever God and the Sant have been is Akshardhām.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/478]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase