॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૮: વાસના જીર્ણ થયાનું

નિરૂપણ

તા. ૨૩/૯/૧૯૭૦, ભાદરા. વચનામૃત ગઢડા અંત્ય ૧૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આપણને ઊંઘ આવતી હોય અને પ્રમુખસ્વામી કથા કરતા હોય તો શું કરવું? ઊંઘી જવું કે કથામાં બેસવું? પછી ‘ના, હાલો સૂઈ જઈએ,’ આવો વિચાર થાય તે વાસના કહેવાય. ‘કેડના મંકોડા તૂટતા હોય, ઊંઘ આવતી હોય, તાવ-તરિયો આવતો હોય છતાં આપણે કથામાં બેસવું જ છે,’ એવા વિચાર કરીએ તે વાસના જીર્ણ થઈ કહેવાય. ભગવાન અને સંતની કૃપા વગર સંકલ્પ હટે જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૫]

September 23, 1970. Bhādrā. Explaining Vachanāmrut Gadhadā III-18, Yogiji Mahārāj said, “If we are sleepy and Pramukh Swāmi is delivering a discourse, what should we do? Sleep or listen to the discourse? If one thinks: let’s go to sleep - that is vāsanā. If one has back pain, one is sleepy, one has a fever, yet I still want to sit in the discourse - if one has these thoughts, then their vāsanā has degenerated. Without the grace of God or the Sant, one’s thoughts will not be removed.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/435]

ગઢડા અંત્યનું ૧૮મું સમજાવતાં યોગીજી મહારાજ કહે, “અનાદિ સત્પુરુષ ગુણાતીતમાં હેત થાય તો વાસના બળી જાય. અનાદિ ગુણાતીત પરોક્ષ થતા જ નથી. પરોક્ષ થાય તો આપણું ઠેકાણું કેમ રહે?”

[યોગીવાણી: ૧૨/૫૩]

Explaining Gadhadā III-18, Yogiji Mahārāj said, “If one develops affection for the eternal Gunātit Satpurush, then desires will be burnt. The eternal Gunātit Satpurush never becomes non-manifest. If he became non-manifest, what would happen to us?”

[Yogi Vāni: 12/53]

તા. ૬/૬/૧૯૬૨, મુંબઈ. સવારની કથામાં યોગીજી મહારાજ કહે, “જીર્ણ વાસના કેમ થઈ જણાય? એક પા છાપું ને એક પા વચનામૃત, તો વચનામૃત પડ્યું મૂકી ‘હાલો છાપું વાંચી લઈએ.’ એ ન કરવું. મોજીદડના માધા પટેલ મહેમાન આવ્યા હોય તેને કહે કે, ‘હાલો કથામાં, ને ન આવવું હોય તો આ ખાટલો, આ લોટો. સૂઈ જાવ.’ તે એકલો શું સૂએ? ચુમાઈને આવવું પડે. તે જીર્ણ વાસના થઈ કહેવાય. બજારમાં દસ હજારની કમાણી હોય તો ત્યાં જાવું કે અહીં શાસ્ત્રીજી મહારાજ પાસે આવવું? ભગવાન સંબંધી સંકલ્પ થાય તે બળવાન. બીજું મોળું પડે... વહેવારમાં ટેકા દઈને એ રાખ્યો હોય તે નિર્વાસનિક. ને બીજા પોતાની મેળે રહ્યો હોય તથા મોટાપુરુષ કહે તોય ન નીકળી શકે તે સવાસનિક.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૩]

June 6, 1962. Mumbai. In the morning discourse, Yogiji Mahārāj said, “How should one know if vāsanā has degenerated? A fourth of the newspaper or a fourth of one Vachanāmrut - if one reads the newspaper instead, leaving the Vachanāmrut untouched. Do not do that. If guests came to Mādhā Patel’s (from Mojidad) house, he would say, ‘Let’s go to kathā. If you do not want to come, here is the cot and here is the pot. Sleep.’ How could he sleep on his own? He has to go to kathā against his will. That is called vāsanā becoming degenerate. If one were to earn 10,000 in the bazaar, should one go there or come to Shāstriji Mahārāj. One who has thoughts of God is strong. Everything else would not be a priority. If one is forcefully supported in their social affairs (i.e. he does just enough to get by), he is free of vāsanā. Others are entrapped in their social affairs on their own; or if one cannot leave their social affairs even if the Motā-Purush says to leave it - they all have vāsanā.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/353]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase