॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૭: દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું

નિરૂપણ

સં. ૧૯૩૮, જૂનાગઢ. જૂનાગઢ મંદિરમાં કળશ ચઢાવવાના હતા, તે પ્રસંગે ભગતજીને આચાર્ય મહારાજે જૂનાગઢ તેડાવ્યા હતા. એક દિવસ જાગા સ્વામીને આસને ભગતજીએ વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાત કરી, “જેણે મોટાપુરુષ સેવ્યા હોય અને તેની કૃપા થકી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તેને તો મોટાપુરુષની સેવા, સમાગમ, લીલાચરિત્ર તથા વાર્તારૂપી અમૃતવાણીની જે ચીજો ખાધી હોય તે યાદ આવ્યા વિના રહે નહીં. અમે અને જાગા ભક્ત સ્વામી થકી તે આનંદ લીધો છે, તે આજે ભેગા મળ્યા છીએ તેથી સંભારીને આનંદ કરીએ છીએ. પણ જેણે ભગવાનનું કે મોટાપુરુષનું સુખ જાણ્યું નથી અને અનુભવ્યું નથી તેને તે શું સાંભરે? એ તો સત્સંગમાં છે તો પણ પશુ જેવા છે. એવું સુખ એક જ વખત લીધું હોય અને પછી પ્રારબ્ધાનુસારે એવો યોગ ન રહે, તો પણ એવો ભક્ત પોતાને જે સુખ મળ્યું હોય તેને સંભારીને પણ સુખિયો રહે, પણ દુઃખિયો તો કોઈ દિવસ થાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૧૮૬]

Samvat 1938. Junāgadh. The kalash of Junāgadh mandir were being placed on the spires. Āchārya Mahārāj had called Bhagatji Mahārāj for this event. One day, Bhagatji Mahārāj had Vachanāmrut Gadhadā III-37 read in front of Jāgā Swāmi and said, “One who has served a Motā-Purush and has achieved ekāntik dharma will certainly remember serving the Motā-Purush, his talks, his divine incidents, etc. just as one remembers the delicacies one has eaten in the past. I and Jāgā Swāmi has gained that bliss of Gunātitānand Swāmi, such that today as we are together, we enjoy that bliss. However, one who has not understood or experienced the bliss of God and the Motā-Purush will remember no such thing. They are like animals in Satsang. If one has obtained such bliss just once, and due to some prārabdh karmas one does not have the company of a Motā-Purush, he will remain happy remembering that bliss, but will never become unhappy.”

[Brahmaswarpu Prāgji Bhakta: 186]

યોગીજી મહારાજ કહે, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય સ્વરૂપનું જ્ઞાન શું? તો છેલ્લાનું ૩૭. જીવ, ઈશ્વર, અવતાર, પ્રધાન-પુરુષ, પ્રકૃતિ, મહાપુરુષથી પર અક્ષર; તેથી પર પુરુષોત્તમ; એમ તત્ત્વે સહિત જાણવું. જેમ ગાય થકી ગાય થાય તે તેનું સ્વરૂપ છે, તેમ ભગવાનને મળેલા સંત તે તેનું સ્વરૂપ છે. મળેલા એટલે એકાત્મપણાને પામેલા, ભેગા રહેલા નહીં. ભગવાનની મરજી પ્રમાણે વર્તનારા. તે ભગવાનની પરંપરા ચાલુ રાખે છે અને એકાંતિક ધર્મ મોળો પડવા દેતા નથી.”

[યોગીવાણી: ૬/૧૦]

Yogiji Mahārāj said, “What is the knowledge of God’s form and the knowledge of the greatness of God’s form? Vachanāmrut Gadhadā III-37: Jiva, ishwars, avatārs, Pradhān-Purush, Prakruti, Mahā-Purush - above all is Akshar. Above Akshar is Purushottam. One should understand this. Just as a cow begets a calf and the calf is the form of the cow; similarly, one who has ‘met’ God is the form of God. One who has ‘met’ God means he has oneness with God; not necessarily stayed together with him. One who remains within the wishes of God. Such a Sant continues the succession of God and would never let ekāntik dharma disappear.”

[Yogi Vāni: 6/10]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase