॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૧: નિશ્ચય વડે મોટ્યપનું

નિરૂપણ

બીજે દિવસે બપોરે ઠાકોરજી જમાડ્યા પછી એક વાગે વચનામૃત ગ. પ્ર. ૩૧ નિરૂપતાં બોલ્યા:

“મોટપ નિશ્ચય ને આજ્ઞાએ કરીને છે. હજારો શિષ્યો માનતા હોય તોય નહિ. આજે આપણા સત્સંગમાં આવી મોટપ દરેકને છે. દેહ-સ્વભાવ સામું જોઈ અવગુણ ન લેવો. સંબંધ સામું જોવું. પાંચ વર્તમાન પૂરાં હોય ને કોઈ ઊંઘતો હોય, ઝોલું ખાતો હોય... અવગુણ ન લેવો. હેતની, શિખામણની વાત કરી આ મારગે ચડાવવા. ટેવ પડી જાય તો દરેકનો અવગુણ લે લે કરે.

“શાસ્ત્રીજી મહારાજ કહેતા: ‘વડતાલવાળાનો અવગુણ ન લેવો. આપણા છે.’ દિવ્યભાવની દૃઢતા કરવી. અક્ષરપુરુષોત્તમનો મહિમા ગાવો, સાંભળવો. સ્વામીશ્રીની ક્રિયા અલૌકિક ક્રિયા લાગે. મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે પછી મહારાજમાં આવે. જીવનું બગડે. એ રસ્તો જ બંધ.

“આપણા દેહનો અવગુણ લેવો: ‘કથામાં બેસવા દેતો નથી. ઊંઘ આવે છે.’”

પછી કહે, “ટાઇમ ઓછો છે, નહિ તો ત્રણ કલાક નિરૂપણ થાય. સેવાનું, નિર્દોષભાવનું, અવગુણ ન લેવાનું વગેરે ત્રણ કલાકનું નિરૂપણ છે. પ્રત્યક્ષ – સાક્ષાત્ દૃષ્ટિગોચર ભગવાન ને સંત મળ્યા છે.

“અક્ષરપુરુષોત્તમનું નામ લે તેને માટે શરીરના જોડા કરીને આપીએ – એમ અહોહોપણું રહે.

“અહોહો! હરિજયંતી કરી! મહારાજના જન્મનો ઉપવાસ કર્યો! ઉપવાસને દિવસે પાંચસોનું રાંધવું હોય તોય કાંટો રહે.”

[બ્રહ્મસ્વરપ યોગીજી મહારાજ: ૩/૨૫૯-૨૬૦]

After offering thāl to Thākorji, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā I-31, “Greatness is due to following the commands of God and conviction in God. Greatness is not due to thousands of shishyas believing one is great. The former greatness is in every devotee in Satsang today. One should not perceive flaws observing others’s body and their habits. Look only at their association with God. If one sleeps excessively or dozes off, but observes all five religious vows, do not perceive a flaw. Learn to love and give advice patiently. If one finds flaws in everyone, then it will become a habit.

“Shāstriji Mahārāj used to say: ‘Do not perceive a fault in the people of Vartāl.’ Maintain firm divinity in all. Sing and listen to the glory of Akshar-Purushottam. Swāmishri’s actions will seem divine. If one perceives human traits in the Motā-Purush, then one will do so in Mahārāj. The jiva will be spoiled. That road is a dead end.

“One should find faults in one’s body: it does not let us sit in discourses. It sleeps.”

Then, Swāmishri said, “Time is scarce, otherwise, this can be explained for three hours. Of serving, perceiving innocence, not finding faults - this would take three hours. We have attained the manifest God and the Sant.

“For one who takes the name of Akshar-Purushottam, one would make them a pair of shoes from their own skin. Such is the wonderment one feels.

“Oh! They celebrated Hari Jayanti. They celebrated Mahārāj’s birth. If one observes a fast and yet has to cook for 500 others, still one would be ecstatic.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/259-260]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase