॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૯: જાણપણારૂપ દરવાજાનું

પ્રસંગ

તા. ૬-૪-૮૭, ભાવનગર. સવારે ૧૧.૪૫ વાગે સભાની સમાપ્તિ બાદ [પ્રમુખસ્વામી મહારાજ] મંદિરે પધારતા હતા. હું સાથે હતો.

મેં કહ્યું, “આપે હમણાં ઊંટિયાએ ૪૦૦ ગાઉ લાંબી ડોક માગી એ વાત કરી. પણ મને એમ થાય છે કે આ બધો વ્યવહાર શું કરવો? પાછું બંધન થાય તો?”

સ્વામીશ્રી કહે, “ભગવાન અને સંતની આજ્ઞાથી જે કરીએ એમાં બંધન ન થાય. ઊંટને તો ભગવાને કહ્યું હતું કે, ‘લાંબી ડોક માગવામાં માલ નથી.’ છતાં માગ્યું એટલે દુઃખ આવ્યું. આપણે તો આજ્ઞાથી કરવાનું છે. મુકાવે ત્યારેય બીજો વિચાર કરવાનો નથી કે, ‘કોણે કહ્યું હશે? શું થયું હશે?’ કાંઈ જ વિચાર નહિ. કહે ‘મૂકી દો’ એટલે હાથ જોડીને મૂકી દેવાનું. એટલો જ આનંદ રાખવો.”

“પણ પ્રવૃત્તિમાં લોકો સાથે બોલાચાલી કરવી પડે. આ બધું સારું ન લાગે.” મેં ફરી કહ્યું.

સ્વામીશ્રી કહે, “આપણે તો પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ છે. પ્રવૃત્તિ કરે એને બધુંય થાય. ઉપરથી એનું બહુ શોભે નહિ. પણ એનો વાંધો નથી. સાવ નિવૃત્તિ પકડીને બેસી રહે, કાંઈ સેવા ન કરે, પીરસે નહીં, વાત ન કરે એનું શું ખોટું દેખાય? લોકોને ભાર પડે કે ‘ઓ... હો મહાત્મા બહુ મોટા.’ પરંતુ આજ્ઞાથી પ્રવૃત્તિ કરવી એ શ્રેષ્ઠ છે.”

મેં કહ્યું, “પણ એમાં પડી જવાનો ભય બહુ.”

સ્વામીશ્રી કહે, “એના માટે છેલ્લાનું ૯મું વચનામૃત કાયમ નજર સામે રાખવું અને એટલું ધ્યાન રાખવું કે સત્પુરુષની રુચિ બહાર ગયા તો વ્યવહારમાં લપસી જ પડાય. આજ્ઞામાં રહીને થાય એટલું કરવું.” પ્રવૃત્તિ માર્ગમાં ઘણી વખત આશ્ચર્યકારી પતન સાંભળવા મળે ત્યારે આવા જ પ્રશ્નો ઘણાના મનમાં ઊગતા હોય છે. આ પ્રશ્નોની ગુરુચાવી સ્વામીશ્રીએ ટૂંકી પ્રશ્નોત્તરીમાં બતાવી દીધી.

- ભગવત્ચરણ સ્વામી

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩]

April 6, 1987. Bhavnagar. Pramukh Swami Maharaj was coming to the mandir after the sabhā. I was with him.

I said, “You talked about the story of the camel asking for a neck as long as 400 gāu. But what I wonder is - of what use is all of these dealings (referring to satsang activities or pravrutti)? What if we become attached [to these activities]?”

Swamishri answered, “One will not become attached if we do as according to the āgnā of the Satpurush. God told the camel, ‘It is not worth asking for a long neck.’ Yet the camel asked anyway and experienced misery. We have to do as according to the āgnā. If they tell us to let it go, we should not think otherwise - that ‘Who told them or what happened?’ No doubts whatsoever. If they say ‘Let it go,’ we should fold our hands and let it go. Remain happy with that.”

“But in these activities, we may quarrels. This does not look good.” I countered.

Swamishri said, “For us, pravrutti is itself nivrutti. When one engages in pravrutti, everything like that (quarrels) will happen. Superficially, this does not look good. But that is okay. If one totally avoids activity and sits idly, does no sevā, does not serve food, does not talk - will he look bad? (No.) People may be impressed (by such a person): ‘Wow! He is a great person.’ But actually, engaging in activity because of āgnā is the best.”

I said, “There is a great fear of falling by pravrutti.”

Swamishri said, “For that, one should keep their focus on Gadhada III-9. And one should be aware that when one sways from what the Satpurush prefers, then one has slipped. One should do as much as they can as per āgnā.”

Swamishri entangled the questions that arise by engaging in pravrutti with this short questionnaire.

- Bhagwatcharan Swami

[Jeva Me Nirakhya Re - Part 3]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase