॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૮: નિશ્ચયનું

આખ્યાન

ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો

બાળકૃષ્ણે નાનપણથી મોટા મોટા અસુરો જેવા કે પૂતના રાક્ષસી, તૃણાવર્ત દૈત્ય, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, કાલિયનાગનો નાશ કર્યો હતો. તે જોઈને વ્રજનાં ગોપબાળકો આશ્ચર્ય અનુભવતાં હતાં. એવામાં જ્યારે કૃષ્ણ ભગવાને દસ વર્ષની નાની વયે આખો ગોવર્ધન પર્વત સાત દિવસ સુધી ઊંચકી રાખ્યો એ જોઈને તો બધા ગોવાળો ભેગા થઈને નંદબાબા પાસે આવીને બાળકની અસાધારણતા વિષે પૂછ્યું. ત્યારે નંદબાબાએ કહ્યું, “આ બાળકના જન્મ સમયે ગર્ગાચાર્યે મને કહેલું કે તમારો બાળક દરેક યુગમાં જન્મ લે છે. આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. ગુણો, ઐશ્વર્ય, પ્રભાવ, કીર્તિથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયણ જેવો જ છે.” વ્રજવાસીઓએ નંદબાબાના મુખે આવા ગર્ગાચાર્યનાં વચનોની વાત સાંભળી કૃષ્ણને વિષે ભગવાનપણાનો ભાવ આવ્યો.

[ભાગવત: ૧૦/૨૭/૧૫-૨૫]

After listening to the words of Gargāchārya, they viewed him as God

When Krishna killed great demons like Putnā, Trunāvarta, Bakāsur, Aghāsur, Dhenukāsur, the cowherd children were amazed at his feats. After Krishna, at the age of 10, lifted the Govardhan mountain for seven days, the children gathered and asked Nandbāvā about Krishna’s extraordinary abilities. Nandbābā responded, “When this child was born, Gargāchārya told me that this child is born in each yug. He will liberate you. His virtues, powers, influence, and fame are that of Nārāyan himself.” The children heard Gargāchārya’s words from Nandbābā and understood Krishna to be God.

[Bhagwat: 10/27/15-25]

અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું

જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળનો ત્યાગ કરી બલરામજીની સાથે મથુરા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં યમુનાજીના કિનારે અક્રૂરજીએ રથ થંભાવ્યો. ત્યાં તેમણે સ્નાન કરવા આજ્ઞા લીધી. સ્નાન કરવા તેમણે જળમાં ડૂબકી લગાવી તો કૃષ્ણ અને બલરામનાં દર્શન થયાં. આથી તેમણે માથું બહાર કાઢીને જોયું તો રથમાં પણ તેમણે શ્રીકૃષ્ણ અને બલરામને જોયા. ફરીથી ડૂબકી લગાવી તો તેમને શેષશાયી નારાયણનાં દર્શન થયાં. ત્યારે તેમણે ગદ્‌ગદ કંઠે ભગવાનની સ્તુતિ કરી.

[ભાગવત‌: ૧૦/૩૯-૪૬]

Krishna gave darshan to Akrur in water in a four-armed form

When Krishna and Balrām left Gokul for Mathurā, Akrur halted his chariot at the river Yamunā on the way. He got permission to bathe in the river. When he plunged into the water, he saw Krishna and Balrām in the water. He poked his head out and saw Krishna and Balrām seated on the chariot as well. He plunged his head into the water again and saw Krishna in the form of Sheshshāyi Nārāyan. He extolled Krishna with verses.

[Bhagwat: 10/39-46]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase