॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૧: નિયમ, નિશ્ચય અને પક્ષનું

આખ્યાન

દક્ષનું મુખ બકરાનું થયું...

પ્રજાપતિના યજ્ઞનું આયોજન થયું. તેમાં બધા મોટા-મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ એકત્ર થયા હતા. તે સભામાં દક્ષ પ્રજાપતિનું આગમન થયું. બધાએ તેમને આસન પરથી ઊઠીને સન્માન આપ્યું. પણ મહાદેવજીએ કોઈ પણ પ્રકારનું સન્માન ના કર્યું. આથી દક્ષ ક્રોધે ભરાયા અને શિવજીને ખરાબ વચનો કહી અપમાનિત કર્યા અને શાપ આપ્યો. તે વખતે પોતપોતાના પક્ષ માટે નંદી અને ભૃગુઋષિએ પણ સામ સામે શાપ આપ્યા.

દક્ષે પોતાના અપમાનનો બદલો લેવા યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં શિવજીને ન આમંત્ર્યા. યજ્ઞમાં પણ તેમનો ભાગ ના રાખ્યો. સતીને આ યજ્ઞની જાણ થતાં મહાદેવજીના રોકવા છતાં પિતાને ઘેર ગયાં. ત્યાં કોઈના પણ દ્વારા તેમને ના બોલાવાયાં તથા જ્યારે શિવજીનો યજ્ઞમાં ભાગ નથી એમ જાણ્યું ત્યારે ક્રોધિત થઈને યજ્ઞમાં જ યોગાગ્નિથી પોતાનું શરીર બાળી દીધું.

મહાદેવજીએ જ્યારે નારદજી પાસેથી જાણ્યું કે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેમના પાર્ષદોની સેનાને ઋભુઓએ મારી ભગાડ્યા છે ત્યારે તેમને ઘણો ક્રોધ થયો. પોતાની જટામાંથી એક વીરભદ્ર ઉત્પન્ન કર્યો. તેને દક્ષનો અને તેના યજ્ઞના નાશનો આદેશ કર્યો. તે મુજબ વીરભદ્રે યજ્ઞ તોડી દક્ષનું માથું કાપી નાંખ્યું અને યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાંખી દીધું. બ્રહ્માજી અને દેવતાઓની વિનંતીથી શિવજી પ્રસન્ન થયા. અને તેમના આદેશથી દક્ષને બકરાનું મુખ જોડવામાં આવ્યું. ત્યારબાદ દક્ષે શિવજીની માફી માંગી.

[ભાગવત: ૪/૨-૭]

Daksha Received the Head of a Goat

Prajāpati arranged a yagna and invited many eminent rishis, devas, and munis. When Daksha Prajāpati arrived to the yagna, everyone honored his arrival, except Mahādev (Shivji). Feeling humiliated by Shivji, Daksha angrily insulted Shivji and cursed him. Nandi and Bhrugu Rushi also cursed each other due to their loyalty to their respective sides.

Daksha decided to get even with Shivji and arranged a yagna of his own. He invited everyone except Shivji. He also excluded Shivji’s merits from the yagna. Sati (Shivji’s consort Parvati) learned of the yagna arranged by Daksha (her father) and decided to attend. Shivji explained to her it is not wise to go without an invitation. Not heeding to Shivji’s advice, she went to the yagna alone. When Sati arrived at the yagna, no one welcomed her nor spoke with her. Realizing that Shivji’s part of the yagna has been excluded, she sacrificed herself in the sacrificial fire.

When Shivji heard of what transpired from Nāradji, Shivji became furious. He created the demon Virbhadra from the mat of his hair and commanded him to cut off Daksha’s head. Virbhadra did according to Shivji’s command and threw his head in the sacrificial fire. Brahmāji and the other devas beseeched Shivji to calm his temperament. Shivji calmed his anger and told them to attach a goat’s head on Daksha. Having received a goat’s head, Daksha realized he was wrong in insulting Shivji out of his arrogance and asked for his forgiveness.

[Bhagwat: 4/2-7]

પરિક્ષિત રાજાનું સાત દિવસમાં મૃત્યુ થયું

પરિક્ષિત રાજા (અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર) વનમાં શિકાર કરવા ગયા હતા. તરસ લાગવાથી પાણી શોધતા હતા ત્યારે તેમને એક આશ્રમ નજરમાં આવ્યો. આશ્રમમાં દાખલ થયા ત્યાં એક ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. રાજાનો સત્કાર ન થયો માટે પરિક્ષિતને અપમાન લાગ્યું અને ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. ઋષિ પુત્ર આ સમયે આવ્યો અને રાજાનું આ કૃત્ય જોયું. ક્રોધાવેશમાં ઋષિપુત્રે રાજાને શાપ આપ્યો કે તક્ષક નાગના ડંસથી તેને સાત દિવસમાં મૃત્યુ થશે. ઋષિ ધ્યાનમાંથી જાગ્યા ત્યારે આ વિગત જાણી અને પુત્રને ઠપકો આપ્યો. તેને જણાવ્યું કે રાજાને તેના મૃત્યુની જાણ કર તો રાજા એના મૃત્યુ માટે છેલ્લા સાત દિવસમાં જે કરવાનું હોય તે કરી શકે.

રાજાએ તેના મૃત્યુની જાણ થતાં મૃત્યુ સ્વીકાર્યું અને કોઈ સિદ્ધ પુરુષની શોધ કરવા નિકળ્યાં. ‘સાત દિવસમાં મૃત્યુ પામવાનો હોય તેવા માણસે છેલ્લા દિવસોમાં શું કરવું જોઈએ?’ - આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવા પુરુષની શોધમાં તેમને શુકદેવજી મળી ગયા. શુકદેવજીએ પરિક્ષિતને ભાગવતની કથા સંભળાવી. તેમની કથા શ્રદ્ધાથી સાંભળીને પોતાનું સ્વરૂપ આત્મા છે તે સમજાયું અને ‘હું દેહ છું અને હું મરણ પામવાનો છું’ તેવી પશુબુદ્ધિનો ત્યાગ કર્યો. જ્યારે તક્ષક નાગ કરડવા આવ્યો ત્યારે પરિક્ષિતે કોઈ પ્રકારના ભય વગર પોતાના મૃત્યુને આવકાર્યું.

Rishi’s Son Cursed the King, Parikshit

Once, King Parikshit (son of Abhimanyu and Uttara) went hunting in the forest. He felt thirsty and went looking for water. He entered a hermitage he saw from a distant. A rishi was deep in meditation and was not aware of the king’s arrival. Expecting to be welcomed, the king became angry and placed a dead snake around the rishi’s neck. The rishi’s son arrived and saw what happened. Enraged by his father’s humuliation, he cursed Parikshit that he would die in seven days by the bite of a Takshak serpent. When the rishi awoke from his meditation and learned what happened, he admonished his son for cursing the king. He told him to inform Parikshit so he can prepare for his death in his final days of life.

Parikshit accepted his death and sought advice from many learned sages. However, he was pleased with Shukdevji’s elevated state and listened to the discourse of the Bhagwat from him. Fervently listening to Shukdevji’s, he realized his self to be the ātmā and overcame the fear of death. Hence, when the Takshak serpent came to bite him, he fearlessly sat undisturbed as the serpent bit him and he invited his death.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase