॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૯: યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું

આખ્યાન

અજામેળ નારાયણ નામ બોલ્યો અને...

કાન્યકુબ્જ (કનોજ) નગરમાં અજામેલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે મહાન શાસ્ત્રજ્ઞ, શીલ, સદાચાર વગેરે સદ્‌ગુણોનો ભંડાર હતો. એક વાર પિતાના આદેશથી વનમાં ફળફૂલ લેવા ગયો. પાછા વળતાં તેણે ભ્રષ્ટ પુરુષને વેશ્યા સાથે જતાં જોયો. તે જોઈને અજામેલનું મન ભ્રષ્ટ થયું અને વેશ્યાને પ્રસન્ન કરવા બધું કરવા લાગ્યો. પોતાની નવયુવતી પરણેતર પત્નીનો પણ ત્યાગ કરી દીધો. કુટુંબનું પાલન કરવા જ્યાંથી પણ ધન મળતું ત્યાંથી ઉઠાવી લાવતો. ક્યારેક વટેમાર્ગુને બાંધીને લૂંટી લેતો. ક્યારેક જુગારમાં છળકપટથી લોકોને હરાવતો. આવી રીતે તે અઠ્યાશી વર્ષનો થયો. તેને દશ પુત્ર હતા. તેમાં સૌથી નાના બાળકનું નામ નારાયણ હતું. તેના પ્રત્યે અજામિલને અત્યંત ગાઢ પ્રેમ હતો. જ્યારે મૃત્યુવેળા નજીક આવી ત્યારે યમના દૂતો તેને લેવા આવ્યા. આથી ગભરાઈને તેણે પાસે રમતા પોતાના નાના પુત્ર નારાયણને જોરથી સાદ પાડી બોલાવ્યો.

જેવું નારાયણ નામ બોલ્યો કે તરત જ ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા આવી ગયા. ત્યારે યમદૂત અને વિષ્ણુના પાર્ષદો વચ્ચે ચર્ચા થઈ. વિષ્ણુના પાર્ષદોએ ભાગવત ધર્મનો પૂરેપૂરો નિર્ણય કરીને અજામિલને યમદૂતોના પાશમાંથી બચાવી લીધો.

[ભાગવત: ૬/૧, ૨]

Ajāmil Spoke the Name of Narayan

A brāhmin name Ajāmil lived in Kānyakubja (Kanoj). He was proficient in the scriptures, moral, possessed integrity, and a treasure of virtues. His father once told him to collect flowers and fruit from the woods. He went to the forest. On his way back, he saw a sinful man with a prostitute. His mind became polluted upon seeing the two. He tried to please the prostitute in any way possible. He left his newly wed wife, pilfered his family’s wealth, or resorted to stealing. At times, he looted travelers or gambled. He reached the age of 88 in this manner. He had ten sons. His youngest son named Narayan was very dear to him. When his death came near, the Yamduts came to take him to narak. Terrified at their sight, he yelled his son Narayan’s name who was playing nearby.

As soon as he said “Narayan”, Lord Vishnu’s pārshads came to take him to Vishnu-Lok. the Yamduts and Vishnu’s pārshads discussed the matter. The pārshads reached the decision that he was fit for Vishnu-Lok and saved him from the clutches of the Yamduts and narak.

[Bhagwat: 6/1, 2]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase