॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧: ઇયળ-ભમરીનું

આખ્યાન

આગ્નીધ્રના પુત્ર નાભિને સંતાન ન હતું. આથી તેમણે પોતાની પત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. તેમની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને યજ્ઞનારાયણે પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારે ઋત્વિજોએ સ્તુતિ કરી તેમના જેવા જ પુત્રનું વરદાન માંગ્યું, ત્યારે યજ્ઞનારાયણે પોતાની અંશ કળાથી પુત્રરૂપે અવતાર લેવાનો વર આપ્યો અને ભગવાન ઋષભદેવરૂપે જન્મ્યા. તેમણે પોતાના પુત્રોને ઉપદેશ આપી સંન્યાસ ગ્રહણ કરાવ્યો. મોટા પુત્ર ભરતને ગાદી આપી પોતે પણ રાજ્યનો ત્યાગ કર્યો. વનમાં દિગંબર અવસ્થામાં જડ, અંધ, બધિર, મૂંગા, પિશાચ અને ગાંડાઓના જેવી ચેષ્ટાઓ કરતાં અવધૂત બનીને ફરવા લાગ્યા. આ વખતે તેમની પાસે આકાશગમન, મનોજવ, અંતર્ધાન, પરકાયાપ્રવેશ, દૂરગ્રહણ, દૂરશ્રવણ વગેરે સિદ્ધિઓ આવી છતાં તેમણે તેમનો મનથી આદર કે સ્વીકાર કર્યો નહીં. આવી જ અવસ્થામાં ફરતાં ફરતાં દક્ષિણમાં કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાંખેલા તથા વાળ વીખરેલા પાગલની જેમ કુટકાચલના વનમાં વિચરવા લાગ્યા. ત્યાં વંટોળને કારણે વાંસનાં વૃક્ષો પરસ્પર ઘસાવાથી દાવાનળ ભભૂક્યો અને તેમાં જ ઋષભદેવજીનો દેહ પણ બળી ગયો.

[ભાગવત: ૫/૬/૭, ૮]

Āgnidhra’s son Nābhi did not have any children. To acquire a child, he performed a yagna with his wife Merudevi. Yagnanarayan was please with their faith and devotion and gave them darshan. The priests of the yagna asked for a son like Yagnanarayan himself and Yagnanarayan agreed to incarnate in the form of a son to them. He was born as Rushabhdev.

He preached to his sons and convinced them to renounce. After handing over the kingdom to his oldest son Bharatji, he wandered through the forest in the form of Digambar (a naked ascetic), and acted ignorant, deaf, mute, and insanely. In this state, the Siddhis (powers: ability to see far, enter others body, fly in the air, etc.) came to him; however, he did not welcome them or accept them. He traveled to the southern state of Karnatak where he put a stone in his mouth. With unkempt hair, he wandered through the forest, which caught fire. Rushabhdev cast his body in the forest fire.

[Bhāgwat: 5/6/7, 8]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase