॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૯: પાડાખારનું

નિરૂપણ

તા. ૧૮-૨-’૬૩, રાત્રે ૮-૩૦ વાગે સ્વામીશ્રી મુંબઈ - દાદર ‘અક્ષર ભવન’માં આવી પહોંચ્યા. સંતોએ હાથે ગૂંથેલો મોટો પુષ્પનો હાર મહંત સ્વામીએ સંતો વતી સ્વામીશ્રીને અર્પણ કર્યો. સંતોને હળીમળી, થોડી વાત કરી, સ્વામીશ્રી નાહવા પધાર્યા. સ્વામીશ્રીનું આગમન થતાં સંતો-હરિભક્તોમાં ઉત્સાહ અનંત ગણો વધી ગયો હતો.

વળતી સવારે સ્વામીશ્રી સ્નાન કરી, ધોતિયું પહેરવા સંતોના ઓરડામાં પધાર્યા. ત્યારે ડૉક્ટર સ્વામીના ખાનામાંથી સ્ટેથોસ્કોપ કાઢી સંતોએ સ્વામીશ્રીને આપ્યું. તે કાને લગાવી સ્વામીશ્રીએ નારાયણ ભગતની છાતી પર મૂક્યું. પછી ધબકારા સાંભળીને કહે, “‘અક્ષરધામ લેવું છે’ એમ સંભળાય છે.” સ્વામીશ્રીના આ શબ્દો, આ ભાવના, અક્ષરધામનું સુખ સૌને આપવાની એકમાત્ર રટનાથી, સૌ પહેલાં તો અવાક્ થઈ ગયા. પછી ખડખડાટ હસી પડ્યા.

પછી સ્વામીશ્રી કથા કરતા હતા ત્યારે મંદિરનો ગુરખો ચોકીદાર સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. સ્વામીશ્રીએ કહ્યું, “જાવ, મોક્ષ થઈ ગયો.”

કથામાં કારિયાણીનું ૯મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“રીસ ન ચડે અને અવગુણ ન આવે એનો ઉપાય નિર્દોષભાવ. સંબંધવાળા છે, એકાંતિક છે, એમ ભક્તિ હોય. ગ. પ્ર. ૩૦ પ્રમાણે ભક્તિ. ભગવાન જેવા અક્ષરધામમાં સાકાર છે, તેવા જ પ્રગટ છે. અને મહિમા હોય તો... “‘તુલસી જા કે મુખનસે...’ સંબંધવાળાને માટે દેહ આપી દે. અવગુણ આવે છે તો ભક્તિ અને મહિમા બે વધતાં નથી. આંટી પડે તેને ખરું હેત ન કહેવાય. આ બધા સંત પૂર્વના. હેત થાય ને નાસી ન જાય તે પૂર્વના. ભીડો પડે તો ભાગી જાય, તે આ જન્મના.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૩૮]

February 18, 1963. Mumbai. Swāmishri arrived in Akshar Bhavan at 8:30 pm. Mahant Swami garlanded Swāmishri with a garland the sadhus strung together by hand...

During the discourse, Swāmishri explained Kāriyāni 9: “Nirdoshbhāv is the means to not being offended or developing an aversion [toward the Satpurush or devotees]. By understanding their association [with God] and regarding them as ekāntik - that is devotion. Bhakti is as according to Gadhadā I-30. Just as God in Akshardhām has a definite form, he is also present on this earth - when one understands his greatness this way, then one lives according to the verse ‘Tulsi jā ke mukhanse’ and is ready to sacrifice one’s body for those associated with God. If a grudge develops, then that is not love. All of these sadhus have great merits from their past (that is why they are here). If one has affection, then they would not leave Satsang. If one is overwhelmed in Satsang (cannot handle the burden) and leaves, they are new to Satsang.”

† This is in reference to the verse: ‘Tulsi jā ke mukhanse, bhule nikse Rām, tāke pagki paheniyā, mere tan ki chām.’ Tulsidās says that even if someone utters the name of Lord Rām by mistake, I would offer my skin to make shoes for their feet. Even such an insignificant association to Lord Rām was enough for Tulsidās.

[Brahmaswarup Yogiji Mahārāj: 3/438]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase