॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૦: અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું

નિરૂપણ

જાન્યુઆરી ૧૯૬૪. સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૨૦ ઉપર ધ્યાન દોરતાં સ્વામીશ્રીએ કહ્યું: “ચિંતામણિ મળી ને કોરા કેમ રહી ગયા? સત્પુરુષના સંબંધવાળાને ગાફલાઈ નથી રહેવા દેતા. મોટાપુરુષને ન ઓળખ્યા તે અજ્ઞાની. મનુષ્યભાવ પરઠે તે અતિ અજ્ઞાની. કોઈ સંકલ્પ વગર દિવ્યભાવ રહે તે જ્ઞાની. જિંદગીમાં મનુષ્યભાવ ન પરઠાય તે વિશેષ જ્ઞાની.

“સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, તેને ઓળખવાની વાત હતી. તે વખતે ક્યાં ગેડ બેસે? જીવાત્માને શોધે; પણ સાક્ષાત્ ગુણાતીત બેઠા છે, તેને ઓળખવાની મહારાજની વાત હતી. ‘ગુણાતીત મારો આત્મા છે’ એમ માન્યું હોત, તો ઘેલામાં ન કહેવાત. જેને સત્પુરુષ સાચા માન્યા તેને આ વાત મનાય. ભડકો જોવાનું સૌને તાન.”

અહીં સ્વામીશ્રી સમયની સાથે ભૂતકાળમાં પહોંચી ગયા અને મહારાજની સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા, એમને ઓળખવાની વાત સમજાવી. પોતે પણ એ પ્રસંગના સાક્ષી છે તેમજ આજે પણ એ જ બોલી રહ્યા છે – એમ પણ પોતાની એકતા જણાવી.

એ જ વચનામૃતમાં શબ્દો આવ્યા: “સ્વરૂપને જોવું એટલે શું?” એ સમજાવતાં કહે, “એમાં આપોપું કરવું. જોડાવું.”

વળી પૂછ્યું: “ભગવાનનો પ્રતાપ શું? મહિમા. પ્રકાશ એટલે પણ મહિમા.

“જીવાત્મા માયાવેષ્ટિત છે. તેને બ્રહ્મનો સંબંધ થાય એટલે તે પણ બ્રહ્મ થાય – માયા પર થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૧]

January, 1964. In the morning discourse, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā I-20, “We have acquired the chintāmani, yet why are we still poor? One who has the association of a Satpurush does not remain aloof. One who has not recognized the Motā-Purush is ignorant. One who perceives human traits is extremely ignorant. Gnāni is one who perceives divinity without any doubts. One who never perceives human trains throughout one’s life is extraordinarily gnāni.

“Gunātitānand Swāmi was sitting in the assembly. The discourse was about recognizing him. But how can they understand that? One tries to realize their jivātmā but the manifest Gunātit is sitting there - Mahārāj spoke about recognizing him. If one understood that ‘the Gunātit is my ātmā’, then one would not be called ‘senseless’. One who believes the Satpurush is true will believe this talk. Instead, everyone wants to see extraordinary miracles.”

Swāmishri traveled back in time and talked about recognizing Gunātitānand Swāmi, who was present in the assembly. Swāmishri was witness to the incident (of this Vachanāmrut) and he is the one speaking today - in this way, he showed his oneness with Gunātitānand Swāmi.

In the same Vachanāmrut, the words “What does it mean to see your form?” were read. Swāmishri explained, “One should become one with that form (Gunātit).”

He then asked, “What is the glory of God? Greatness (mahimā). Light also means mahimā.

“The jivātmā succumbs to māyā. If it connects with Brahma, then it becomes brahmarup and transcends māyā.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/571]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase