॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૭: ગંગાજળિયા કૂવાનું

નિરૂપણ

તા. ૭/૧૨/૧૯૭૫. ભાદરણ. સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજે રવિસભા દરમ્યાન વચનામૃત ગઢડા મધ્ય ૬૭ નિરૂપતાં કહ્યું, “ભગવાનની દૃષ્ટિમાં આ લોકની કોઈ ગણતરી નથી. વિક્ટોરિયા સરોવરમાંથી નાઈલ નદી નીકળે છે. છતાં પાણી ખૂટતું જ નથી, પરંતુ વધે છે. તેમ ભગવાનનું ભજન કરતાં જીવને સ્વામી-સેવકભાવ વધતો જાય છે. ભગવાનનો તે અપાર ને અપાર મહિમા સમજે છે. આત્મા કોઈ દિવસ પરમાત્મા થતો નથી. પરંતુ અક્ષરરૂપ થઈને ભગવાનનો સેવક થાય છે. સ્વામી-સેવકભાવ ન રહે તો ભજન કોનું કરવું? અક્ષર ને મુક્તો બધાય સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. આપણે ત્યાં ભગવાન થવાનું જ્ઞાન જ નથી. આપણે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે તો આપણે એકલું ગુણાતીત... ગુણાતીત... એમ ભજન કરતા નથી. પણ સ્વામિનારાયણનું જ ભજન કરીએ છીએ.

“આપણે જે કંઈ કરીએ છીએ તે ભગવાનની શક્તિથી કરીએ છીએ. ભગવાન તેમની શક્તિ આપણામાંથી ખેંચી લે તો આપણું નામ બદલાઈ જાય. મડદું થઈ જઈએ. ફેંકી દેવું પડે.

“એક બીબડીને ઘેર કૂકડો હતો. તે દરરોજ સવારે ચાર વાગ્યે બોલે. તેથી બીબડીના મનમાં એમ કે: ‘મારો કૂકડો બોલે છે, તેથી વહાણું વાય છે. માટે હું તેને લઈને બીજે ગામ જાઉં.’ તે કૂકડો લઈને ચાલી ગઈ પણ વહાણું તો વાયું! તેમ આપણે આપણી મોટપ માનવી નહીં. અક્ષરરૂપ થઈ જઈએ તોય સ્વામી-સેવકભાવ તો હંમેશા રહે જ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૨૨]

December 7, 1975. Bhādran. Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada II-67 during the Sunday sabhā, “In God’s view, this world is nothing. The Nile River emerges from Lake Victoria; yet the water (of the lake) is not depleted. It only increases. Similarly, by worshiping God, one’s master-servant relationship with God becomes more firm (i.e. he realizes himself to be the servant and God to be his master). He increasingly understands the unlimited greatness of God. The ātmā never becomes Paramātmā. However, it does become aksharrup and a servant of God. If the master-servant relationship does not remain, then who does one worship? Akshar and the aksharmuktas all worship Bhagwan Swaminarayan. Here, we do not have such knowledge that we become God. We have installed the murti of Gunatitanand Swami; but we do not worship Gunatitanand Swami alone by chanting ‘Gunatit... Gunatit...’ We actually worship Swaminarayan.

“Whatever we do is due to the strength of God. If God withdraws his strength from us, then our name would change (we become powerless). We would become a corpse. It has to be discarded.

[Brahmaswarup Pramukh Swami Maharaj: 3/122]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase