॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૭: નટની માયાનું

નિરૂપણ

તા. ૧૦-૧-૭૮ મંગળવારને દિવસે નકુરુ (કેન્યા)માં પૂજા બાદ સ્વામીશ્રીએ વચનામૃત લોયા ૧૧નું નિરૂપણ કર્યું. અંતે ઉપસ્થિત ભક્તોને પુષ્પો આપતા હતા. તે દરમ્યાન સ્વામીશ્રીને પૂછ્યું કે આ વચનામૃતનું નિરૂપણ સદ્‍ગુરુ સંતો અને મોટેરા હરિભક્તો પાસે સાંભળીએ છીએ ત્યારે બધાનો એક જ સૂર રહ્યો છે કે પતિવ્રતાની ટેક તો અજ્ઞાની ને અવિવેકી માટે છે પણ જ્ઞાનીને માટે નથી; તો શું જ્ઞાની માટે પતિવ્રતાની સમજણ નથી?

સ્વામીશ્રી હરિભક્તોને પુષ્પ આપતાં બોલ્યા કે, “સાચો જ્ઞાની-વિજ્ઞાની તો પરમ વિવેકી છે. તેને તો ત્રણેય કાળમાં ને ત્રણેય અવસ્થામાં ભગવાન હાજરાહજૂર છે છે ને છે જ. (પંચાળા ૭) એને ભગવાન સિવાય બીજું કંઈ નજરમાં જ નથી. એટલે એને તો પતિવ્રતાની ટેક સહજ સિદ્ધ છે. એ માટે એને ઉપદેશવાની જરૂર નથી પણ જે અવિવેકી છે તેને તો પતિવ્રતાની ટેકનો ઉપદેશ વિશેષે કરીને કરવો પડે. પણ બંનેને એ ટેક તો ખરી જ.”

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨, શ્વેતવૈકુંઠ સ્વામી]

January 10, 1978. Nakuru, Kenya. As usual Swamishri read a Vachanamritam after his puja. Today he explained Vachanamrut Loya 11. Afterwards, he was meeting the devotees when a question was put to him, “Whenever sadguru sadhus or senior devotees explain this Vachanamrut, they all give a common definition that one who is ignorant is required to keep irrevocable fidelity towards God. Whereas, it is not so essential for one who is enlightened. So don’t they need to keep fidelity towards God?”

Swamishri replied, “One who has been truly enlightened will see God in all three states (consciousness, deep sleep, dream) thus at all times. He feels God’s presence continuously (Panchala 7), and he sees nothing but God. Automatically he develops fidelity towards God, thus he doesn’t actually need to be told to keep such fidelity. Whereas one who has not been enlightened, he needs to be reminded repeatedly. That’s the difference between the two. But ultimately, both must keep fidelity towards God.”

[Divine Memories - Part 2, Sadhu Shvetvaikunthdas]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase