॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૭: ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું

નિરૂપણ

તા. ૨૧/૬.૧૯૮૬ની બપોરે સુરતમાં નવચેતન સોસાયટીમાં શ્રી પુરુષોત્તમભાઈ પટેલના ઘેર વચનામૃત કારિયાણી ૭ સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું:

“નિયમમાં રહીને ખાવું, પીવું, જોવું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ દુનિયા-માત્રની કરો, પણ સાધુતા રાખીને. આપણે દેહમાંથી મમતા કાઢવાની છે. કોઈક બોલી જાય તો એમ થાય કે: ‘ક્યારે સાટું વાળી નાંખું?’ કાંટો ચડી જાય. પણ આપણે ક્યાં દેહ છીએ? એના લાલન-પાલનમાં સમય ન જવો જોઈએ. દેહને ખાસડાં જેવું કરી નાખવું. કોઈ બોલી જાય તો ખમવું. બોલનાર પાછળથી પસ્તાશે. આપણે આપણું કામ કરવા આવ્યા છીએ. દુરાગ્રહ, હઠાગ્રહ કોઈ જાતનો ન રાખવો. આપણે એકડો થવાનું છે. પેલો રખડે તો આપણેય રખડવું નહીં. વિચિત્ર સ્વભાવ મૂકી દેવા. નડે છે એ જ. બાકી અંતરના દોષો તો ભગવાન કાઢશે.

“ભજનનો તાલ તૂટવો ન જોઈએ. દરરોજ ચેષ્ટા થવી જ જોઈએ. આરતીની ઘંટડી થઈ એટલે ઊભા થઈ જ જવું. જય જય નહીં. ઊભા રહેવું તો આપણું વધશે. વાંચન કરવું. નવરા ન બેસી રહેવું. મહાતમ (સ્વામી) ભણેલા ન હતા, તોય વચનામૃત, ભક્તચિંતામણિ વાંચ્યે જ રાખે. આ નિયમ હતો તો પાર પડી ગયા.

“આ વચનામૃતમાં પ્રત્યક્ષની વાત આવી. મનુષ્યરૂપે જે પૃથ્વી પર આવ્યા તેના વિષે દૃઢતા કરવાની છે. આપણા જેવી ક્રિયા – બોલવું, ચાલવું, પેટ દુઃખે, બી જાય – બધું આપણા જેવું જ હોય. એમાં સંશય થઈ જાય. પણ એમના સંબંધમાં જે આવે એ નિર્ગુણ થઈ જાય. દેખાય છે છતાં નથી. કોઈને આજ્ઞા કરે તો વિચાર નહીં કરવાનો. હનુમાનજીને આજ્ઞા કરી, ત્યાં સુખ હતું? અરે, સિંહની બોડમાં હાથ નાંખવાનો હતો તોય સંશય ન થયો.

“આપણે બધાની ભેગા રહીને ન્યારા રહેવાનું છે. સમૂહમાં રહીએ છીએ, પણ આપણામાં કોઈનો સ્વભાવ અડવો ન જોઈએ. હળીમળીને રહેવું એ બરાબર છે, પણ શબ્દ સાંભળીને અંગ ન ફરવું જોઈએ. દૃઢ એટલે શેષનાગને માથે ખીલી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૪૯૩]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase