અમૃત કળશ: ૧૮
આત્મબુદ્ધિ, પક્ષ
આ સત્સંગ છે તે તો બ્રહ્મરૂપ છે ને અકળ છે, કેમ જે આ કાળમાં બ્રહ્મચર્ય કોઈથી ન રહે છતાં બ્રહ્મચર્ય રાખે છે તે બહુ મોટા છે. માટે આ સત્સંગને વિષે આત્મબુદ્ધિ કરવી. (૨૧)
પ્રકરણ/વાત: ૧૪/૧૩૬
યોગેશ્વરદાસજીએ પૂછ્યું જે, “કોઈક થોડું વર્તતા હોય ને કોઈક બહુ વર્તતા હોય તે બધાનો મહિમા કેમ રહે?” ત્યારે બોલ્યા જે, “નાના નાનાને વિષે શિષ્યભાવ લાવીને તેનું હિત કરવું, બરોબરિયા સાથે મિત્રભાવ રાખવો ને મોટામાં ગુરુભાવ રાખવો.” (૨૨)
પ્રકરણ/વાત: ૧૪/૧૫૨