અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
જ્ઞાન થવું તે કાંઈ પુસ્તક પૂજે કે લાડવા ખાધે, સાંઠિયું સૂડ્યે, કે પથરા ઉપાડ્યે, કે વાડી કર્યે, કે ખાઈને મેડા ઉપર સૂઈ રહે થાશે? સાધુ સમાગમ વિના જ્ઞાન તો કોઈ રીતે થાય જ નહિ. અને આમ ગળું તાણીને કહીએ છીએ પણ કેને એવો ઈશક છે કે વાતુ કહેવી ને સાંભળવી? એવો ઈશક તો શિવલાલને હતો. ને જ્ઞાન વિના પુસ્તક ભેળાં કરશે તેથી કાંઈ દોષ ટળશે નહિ. ત્રિકમદાસ પુસ્તક ભેળાં કરીને પટારામાં નાખે છે તેમાં શું જ્ઞાન થાય? અહીંથી સંકેલ્યું, ત્યાંથી સંકેલ્યું, બધું સાચવ્યું, એમાં પણ શું જ્ઞાન થાય? ન જ થાય. એ તો વાંચે, વિચારે, મનન કરે, ને ગુરુ કહે તે પ્રમાણે શિષ્ય થઈ વર્તે તો જ્ઞાન થાય. (૨)
પ્રકરણ/વાત: ૧૦/૧૬૪