ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

જામનગરમાં નિષ્કુળાનંદ સ્વામીના કરેલ મહિમાનો ખરડો લઈને જાગાભક્ત વાંચતા હતા. તેમાં ‘સખી શીયો કરું ઉપાય પીયુ પરદેશડે,’ એ ચરણ આવ્યું ત્યારે સ્વામી પોઢ્યા હતા તે બેઠા થયા ને બોલ્યા જે, “ફેર વાંચો.” પછી ફેર વાંચ્યું. તે સાંભળીને બોલ્યા જે, “આ પણ એક મારા ગુરુનું અજ્ઞાન દેખાય છે!” એમ કહીને વળી બોલ્યા જે, “જેને જ્ઞાન હોય તેને પીયુ પરદેશડે મનાય જ નહિ. એ તો એમ જાણે જે, ‘ભગવાન અખંડ મારા આત્માને વિષે વિરાજમાન છે ને જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ મારા જીવમાં ભગવાન રહ્યા છે,’ એમ સારંગપુરમાં દશના વચનામૃતમાં કહ્યું છે... (૨૦)

પ્રકરણ/વાત: ૯/૨૪૩

Vat Selection


Type: Keywords Exact phrase