અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
શાસ્ત્રમાં આત્મા-અનાત્માની વાતો આવે છે પણ પાછું તેમનું તેમ થઈ જાય છે ને નાગરના છોકરા જેવું છે. તે શું જે, મંદિરમાં આવે ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી પ્રસાદી આપે ને વાતો કરે ને મંદિર ટોચવાની ના પાડે તો તે ટાણે તો માને, પણ પ્રસાદી ખાઈને બારા જાય એટલે પાછા એના એ ખોદે. તેમ આત્મા-અનાત્માનું સાંભળે ને પાછું એનું એ, માટે જેમ જાતિનું પેઠું છે તેમ દેહાત્માનું થાય ત્યારે ખરું. (૩૦)
પ્રકરણ/વાત: ૧૨/૩૭