અમૃત કળશ: ૨૨
અભાવ-અવગુણ-દ્રોહ
... અલૈયા ખાચરને મહારાજનો અભાવ આવ્યો તે હજાર મનુષ્યને પાછાં પાડ્યાં. નિર્વિકલ્પાનંદે દીનાનાથ ભટને વિમુખ કર્યા ને હજારો બ્રાહ્મણોને સત્સંગી થાતા અળસાવ્યા. શિક્ષાપત્રીમાં મયારામ ભટ મુખ્ય લખ્યા તે દીનાનાથ ભટને ઈર્ષા થઈ ને મયારામ ભટનો અભાવ આવ્યો. પછી દીનાનાથ ભટની દીકરીને ભૂત વળગ્યું તે મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે, “તમે દેવ, બ્રાહ્મણને તમારે ત્યાં ભૂત હોય?” ભટ કહે, “કૃપાનાથ, હું અનાથ કહેવાઉં!” પછી કહે, “જાઓ, મયારામ ભટ કાઢશે.” પછી ભટે કાઢ્યું. માટે ભગવદીના અવગુણે કરીને એવું થાય. (૧૨)
પ્રકરણ/વાત: ૧૧/૧૭