અમૃત કળશ: ૩
મહિમા
મહારાજનો ગુણ લેવો જે કૃપા કરીને મળ્યા. મહારાજનો સ્વભાવ જે કોઈ કીર્તન ગાય ત્યાં પોતે ચાલીને જાય. માટે ગુણ ગાવા જેવા તો એક મહારાજ જ છે. મોટા મોટા જેનું ધ્યાન કરે છે એવા મહારાજ, તેમની કથા ને સ્મૃતિ મૂકીને આ લોકની વાત કરવી એ જ અજ્ઞાન. (૨૩)
પ્રકરણ/વાત: ૧૩/૧૪૯